પરિવારજનોને આભાસ થઈ ગયો હતો કે નિર્મલ મિલ્ખા સિંહના ગયા બાદ તે હવે વધુ જીવન જીવી નહીં શકે.
છેલ્લા બે દિવસથી પત્નીને કરી રહ્યા હતા યાદ
શુક્રવારે રાતે 11.30 વાગ્યે થયું અવસાન
પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર શનિવારે બપોર પછી કરવામાં આવશે
છેલ્લા બે દિવસથી પત્નીને કરી રહ્યા હતા યાદ
શુક્રવારે જ્યારે મિલ્ખાસિંહની હાલત બગડી ગઈ ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું જે હવે તેમને વેન્ટિલેટર પર રાખવા પડશે, પણ બીજી બાજુ તેમના પરિવારજનોએ તેમને વેન્ટિલેટર પર રાખવાની સ્પષ્ટ રીતે ના પડી દીધી હતી. કારણકે તેમના પરિવારજનોને આભાસ થઈ ગયો હતો કે નિર્મલ મિલ્ખા સિંહના ગયા બાદ તે હવે વધુ જીવન જીવી નહીં શકે.
શુક્રવારે રાતે 11.30 વાગ્યે થયું અવસાન
વેન્ટિલેટર પર જિંદગીને લંબાવવી એ ઠીક ન લાગ્યું, કારણકે તેમની પત્ની સાથે તેમનો અતૂટ સંબંધ હતો. છેલ્લા બે દિવસથી તેઓ તેમને જ યાદ કરી રહ્યા હતા. પરિવાર વાળા ઇચ્છતા હતા કે તેઓ કોઈ પણ કષ્ટ અનુભવ્યા વિના જીવનની આ છેલ્લી ક્ષણો જીવે. બીજી બાજુ સંપૂર્ણ પરિવાર અને ડોકટરો સતત તેમની સાર સંભાળ કરવામાં લાગી ગયા હતા.
પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર શનિવારે બપોર પછી કરવામાં આવશે
તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને પરિવાર વાળા ચંડીગઢ વાળા ઘરે લઈ ગયા હતા. સમગ્ર ઘરમાં શોકમય વાતાવરણ બની ગયું હતું. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર શનિવારે બપોર પછી ચંડીગઢમાં જ કરવામાં આવશે. તેમના નિધન બાદ તેમના પુત્ર અને આંતરરાષ્ટ્રીય ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું અવસાન શુક્રવારે રાતે 11.30 વાગ્યે થયું હતું. તેમણે એ રાત્રે ઘણો સંઘર્ષ કર્યો. છેવટે તેમણે તેમના શ્વાસ છોડી દીધા. હું દુનિયાભરના લોકો તરફથી મળેલ પ્રેમ અને પ્રાર્થના માટેનો આભારી છું.
મિલ્ખા સિંઘે 80 આંતરરાષ્ટ્રિય દોડમાંથી 77 જીતી છે પરંતુ રોમ ઓલમ્પિકનો મેડલ હાથથી છીનવાયો હોવાનો અફસોસ જીવન ભર રહ્યો હતો. તેમની આખરી ઈચ્છા હતી કે તેમના રહેતા કોઈ પણ ભારતીય ખેલાડીના હાથમાં આ ઓલમ્પિક મેડલ જુઓ. પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. જો કે મિલ્ખા સિંઘની દરેક ઉપલબ્ધિ ઈતિહાસમાં નોંઘાયેલી રહેશે અને તેઓ પ્રેરણાસ્ત્રોત રહેશે.