બનાસકાંઠા જિલ્લાના થરાદના ડીસા હાઇવે પર આવેલા હેલીપેડ પર રણછોડજી ગોળીયાની દુધ મંડળીના મંત્રી પરત ફરતી વખતે તેના પિતરાઈ ભાઈ અને અન્ય બે ઇસમોએ બાઈક ને આતરી લઈ મંત્રીને પેટના ભાગે છરો મારતાં મંત્રી જમીન પર ઢળી પડ્યો અને 5 લાખ રૂપિયાની બેગ અને મોબાઈલ પાકીટની લુટ કરી લુટારૂઓ ફરાર થઇ ગયા હતા.
સમગ્ર ઘટના વિશે જણાવીયે તો બનાસકાંઠા જિલ્લાના થરાદના મલુપુર ગામે રહેતા અને થરાદ ડીસા હાઇવે પર આવેલા રણછોડજી ગોળીયા દુધ ઉતપાદક મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ખેમજીભાઇ કરશનભાઇ પટેલ રાબેતા મુજબ ગઇકાલે દુધડેરીના દુધ ઉત્પાદકોનો પગાર અને વાર્ષિક ભાવ વધારો મળી રૂપિયા 20 લાખનુ ચુકવણું કરવા ગયેલા.
ચુકવણુ કરી અને વધેલી રકમ 5 લાખ તેમજ રજિસ્ટર અને મોબાઈલ થેલામાં મુકી સાજના આશરે આઠથી નવ વાગયાની આસપાસ મંત્રી પોતાના ઘર તરફ મોટરસાયકલ લઈને આવી રહ્યા હતા ત્યારે વચ્ચે હાઇવે પર આવતુ હેલીપેડ નજીક પોતાના ઘર તરફના રસ્તે વળવા જતાં એક મોટરસાયકલ પર મંત્રીનો જ પિતરાઈ ભાઈ શ્રવણ ભાઈ અને અન્ય બે ઇસમો આવી મંત્રીને ઇજાઓ પહોચાડતા મંત્રી જમીન પર ઢળી પડ્યા હતા.
ત્યારબાદ મંત્રી પાસે રહેલો રકમ ભરેલો થેલો મોબાઈલ પાકીટ ઝુટવી નાશી છુટયા હતા મંત્રી લોહીલુહાણ હાલતમાં મંત્રી ઉભો થઇ હાઇવે પર જઇ વાહનો રોકાવવાની કોશિષ કરતાં એકપણ વાહન ઉભુ ન રહેતાં નજીકમાં આવેલ ધરણીધર ગૌશાળા પાસે જઇને બુમાબુમ કરતાં ગૌશાળામાં ગોવાળીયા તરીકે કામ કરતા છગનભાઇ રબારી દોડી આવ્યા અને મંત્રીએ બનાવની હકીકત જણાવતાં છગનભાઇ રબારીએ પોતાના મોબાઈલથી મંત્રીના પિતાને જાણ કરતાં મંત્રીના પરીવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઇજાગ્રસ્ત મંત્રીને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ થરાદ પોલીસ મથકે મંત્રીના પિતાએ જાણ કરતાં થરાદ પોલીસ મથકના ડી.વાય.એસ.પી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફરાર ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને પોલીસે અન્ય શંકાસ્પદ ત્રણ ઇસમોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
થરાદ પંથકમાં ચોરી લુટ જેવા બનાવો અતિ વધવા પામયા છે એકબાજુ વરસાદ ખેચાતા લોકો પાસે આવક ન હોવાથી માણસોને ખર્ચા તેમજ મોજશોખ કરવા ચોરીઓ અને લુટને અંજામ આપતા હોય છે.
ત્યારે આવા ઇસમોને ધરપકડ કરી જાહેર બજારમાં સરઘસ નીકાળવા જોઈએ અને પોલીસ પણ સધન પેટ્રોલિંગ કરે અજાણ્યા શખ્સો સામે ચેકીંગ કરી શંકાસ્પદ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે.
થરાદ પોલીસ સ્ટેશનમાં વર્તમાન સમયે પી.એસ.આઇ અને હાલના ડી.વાય.એસ.પી એ.એચ ચૌધરી પોતાનો રુઆબ બતાવીને ગુનાખોરીઓ સામે તટસ્થ બનશે કે કેમ છેલ્લા કેટલાક સમયથી થરાદ પોલીસ મથકે ઘરફોડ દુકાનો તેમજ વાહનોની ચોરીઓ અને બેન્કોમાં આવતા ખેડુતોભોગ બન્યા મર્ડર જેવા તમામ ગુનાઓ થરાદ પોલીસ રજીસ્ટરમાં દાખલ થવા છતાં હજુસુધી એકપણ ગુનાનો ભેદ ઉકેલાયો નથી આથી થરાદ પોલીસ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.