સસ્તા ભાવે ખરીદેલા દૂધમાં પાણી ભેળવીને મેળવતા હતા નફો
ફાંટીને ધૂમાડે ગયેલા લેભાગુ તત્વો હવે દૂધ જેવી પવિત્ર વસ્તુમાં પણ ભેળસેળ કરી રહ્યાનો આંચકાજનક કિસ્સો રાજકોટમાં ફરી એક વખત પ્રકાસમાં આવ્યો છે. રાજકોટ મનપા દૂધમાં ભેળસેળ મામલે એક્શનમાં આવી છે. તંત્રના સબંધિત વિભાગ દ્વારા રાજકોટ ખાતે આવેલી ડેરીમાં તપાસ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા. જેની ચકાસણી દરમિયાન 5 ડેરીના નમૂના પુથ્થુકરણમાં ફેઇલ થયા હતા અને તેમાં ભેળસેળ સામે આવી હતી.
રાજકોટની 5 ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના ફેઈલ
રાજકોટવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સમાન રાજકોટમાં સફેદ દુધના કાળા કારોબારનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. રાજકોટ મનપાની ટીમ દ્વારા ખાનગી ડેરી ફાર્મમાં દૂધની તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટની કેશરવિજય ડેરી ફાર્મ, સ્વામિનારાયણ ડેરી ફાર્મ, બારસા ડેરી, નીલકંઠ ડેરી, વૃંદાવન ડેરી સહિતની ડેરીઓમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દૂધના નમૂના લઈ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ દૂધમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન હોવાનું સામે આવ્યું હતું અને દૂધના નમૂના ફેઇલ થયા હતા. લેબ ટેસ્ટ દરમિયાન એસ.એન.એફ.ઓછા હોવાનો ધડાકો થયો છે. વધુમાં પશુપાલકો પાસેથી સસ્તા ભાવે દૂધ ખરીદી અને મોંઘા ભાવે વેચતા હોવાનું પણ ખૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં સસ્તા ભાવે ખરીદેલા દૂધમાં પાણી ભેળવીને બેફામ નફો રોળવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે. લુઝ દૂધ વેંચાતા હોવાથી દૂધમાં પોષક તત્વો ઘટી જાય છે એન દૂધ માત્ર નામનું જ દૂધ રહે છે.
રાજકોટમાં દરરોજ 20 ડેરીમાં સેમ્પલ પરિક્ષણનો મનપાનો આદેશ
દૂધમાં મિલાવટનું ભોપરું છતું થયા બાદ રાજકોટમાં દરરોજ 20 ડેરીમાં સેમ્પલ પરિક્ષણનો મનપા તંત્ર દ્વારા સબંધિત વિભાગને આદેશ કરવામાં આવ્યો છે. તથા દૂધમાં ભેળસેળ મામલે ફૂડ વિભાગ દ્વારા જવાબદાર ડેરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે સવાલોએ પણ છે કે, લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાં છતાં તંત્ર કશૂરવારો સામે પગાલા લેવામાં કેમ વામણું પુરવાર થઇ રહ્યું છે. પૂરું વળતર આપ્યા બાદ પણ લોકો સાથે શા માટે છેતરપિંડી આચરવામાં આવે છે? આકરા કાયદાઓ હોવા છતાં ખાનગી ડેરીના સંચાલકોને કેમ કોઈનો ડર રહ્યો નથી અને અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ તપાસ કરવામાં આવી નથી? હવે જ્યારે ભેળસેળ ખૂલીને બહાર આવી છે ત્યારે આવા તત્વો સામે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.