દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા ગઇકાલે રાષ્ટ્રજોગ સંદેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને ગઇકાલ રાતથી જ લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે પડાપડી કરતા જોવા મળ્યાં હતા. જેમાં લોકો સૌથી વધારે દૂધનો સંગ્રહ કરતા જોવા મળ્યાં.
રાજ્યની મુખ્ય ત્રણ ડેરીના ચેરમેન-MD એ કરી અપીલ
અમૂલ-સુમૂલ અને બનાસ ડેરીના ચેરમેન-MDનું નિવેદન
લોકો દૂધ માટે ન કરે પડાપડી, પૂરતો છે સ્ટોક
પીએમ મોદીના લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતમાં લોકો બીજા દિવસે પણ સતત સવારથી દૂધ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યાં. જેમાં લોકો ની દૂધ લેવા માટે લાંબી લાઇનો જોવા મળી. જો કે રાજ્યની મુખ્ય ત્રણ ડેરી દ્વારા દૂધને લઇને પડાપડી ન કરવા અપીલ કરવામાં આવી હતી.
રાજ્યની ત્રણ મુખ્ય દુધની ડેરી અમૂલ, સુમુલ અને બનાસ ડેરીના ચેરમેન અને MD દ્વારા લોકોને દુધ માટે પડાપડી નહીં કરવાની અપીલ કરાઇ છે. મુખ્ય ત્રણ ડેરીના ચેરમેન-એમડી દ્વારા જણાવામાં આવ્યું કે રાજ્યમાં દૂધની કોઇ અછત સર્જાશે નહીં.
સુરત ખાતે આવેલ સુમૂલના ચેરમેન અને MD એ લોકોને અપીલ કરી છે. ચેરમેને જણાવ્યું કે દૂધ લેવા લોકો દોડા-દોડી ન કરે. સુમૂલ પાસે દૂધનો પૂરતો જથ્થો છે. દરરોજનું 18 લાખ લીટર દૂધ આવે છે. જેની સામે માત્ર 12 લાખ લીટર દૂધનું જ વેચાણ થાય છે.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે બનાસ ડેરીમાં દૂધની આવક યથાવત્ છે. ગુજરાતની તમામ દૂધ ડેરીઓ પાસે પુરતું દુધ છે. દૂધ મામલે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.
અમૂલના MD સોઢીએ દૂધની હાલની સ્થિતિને લઇને નિવેદન આપ્યું હતું. અમૂલના MDએ કહ્યું કે દૂધની બિનજરૂરી ખરીદી ન કરવા લોકોને અપીલ કરી છે. ગુજરાતમાં રોજનું ત્રણ કરોડ લીટર દૂધનું ઉત્પાદન છે. ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ રોજ 500 ML દૂધ ઉપલબ્ધ છે.