શ્રીલંકામાં દિવસેને દિવસે હાલત બદથી બદતર બનતા જાય છે, હાલમાં જીવનજરૂરિયાતની વસ્તુ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલને લઈને પેટ્રોલ પંપ પર પડાપડી થઈ રહી છે. જેને લઈને સરકાર મિલિટ્રી તૈનાત કરવી પડી છે.
પાડોશી દેશ શ્રીલંકામાં ભયંકર હાલત
પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો
ભીડને જોતા સરકારે મિલિટ્રી તૈનાત કરી
પાડોશી દેશ શ્રીલંકામાં હાલના સમયમાં ભયાનક આર્થિક સ્થિતિ બનેલી છે. કેટલીય જરૂરી વસ્તુઓના ભાવ આકાશે આંબી ચુક્યા છે. ડીઝલ-પેટ્રોલ અને ગેસના મામલામાં સ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ છે. તેલ ખરીદવાના ચક્કરમાં અત્યાર સુધીમાં કેટલાય શ્રીલંકાના લોકોના મોત થઈ ચુક્યા છે. હવે હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, શ્રીલંકાની સરકારે પેટ્રોલ પંપો અને ગેસ સ્ટેશન પર સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શ્રીલંકામાં ન ફક્ત પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે, પણ તેની સોર્ટેજ પર થઈ ગઈ છે. તેને લઈને પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. હજારો લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને તેલ ખરીદી રહ્યા છે. રિપોર્ટમાં શ્રીલંકાઈ સેનાના પ્રવક્તા નીલાંથા પ્રેમારત્નેના હવાલેથી જણાવ્યું છે કે, કેટલાય કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ ત્રણ વૃદ્ધ લોકોના મોત થઈ જવાથી પેટ્રોલ પંપ પર સેનાને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સેનાને તૈનાત કરવામાં આવી
સેના ફક્ત તેલ વહેંચવામાં મદદ કરવાની છે. ભીડને કંટ્રોલ કરવાનું કામ સેનાનું નથી. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં તમામ પેટ્રોલ પંપો પર ઓછામાં ઓછા 2-2 જનવાનો તૈનાત રહેશે. અધિકારીઓનું કહેવુ છે કે, મિલિટ્રીની તૈનાતી લોકોની મદદ માટે છે. ન કે લોકોના માનવાધિકાર છીનવી લેવા માટે. સરકારના પ્રવક્તા રમેશ પાથિરાનાનું કહેવુ છે કે, ખોટી રીતે તેલ વહેંચ્યા બાદ અને જમાખોરી કરતા હોવાની ફરિયાદો મળ્યા બહાદ સેનાને તૈનાત કરી દેવામાં આવી છે.
પેટ્રોલ ડીઝલ સહિત જીવનજરૂરિયાતની વસ્તુની સોર્ટેજ
શ્રીલંકામાં તેલ સહિત કેટલીય જરૂરી વસ્તુઓની સોર્ટેજ થવાના કારણે કેટલીય જગ્યા પર છુટકફુટક હિંસાની ખબરો પણ આવી છે. પોલીસે જણાવ્યું છે કે, સોમવારે એક એવી ઘટનામાં એક વ્યક્તિને ચાકૂ મારીને હત્યા કરી દેવામા આવી હતી. એક વાહનચાલક સાથે થયેલી બોલાચાલી બાદ આ હિંસક ઘટના ઘટી હતી. આ અગાઉ ધોમધખતા તડકામાં લાઈનમાં ઉભા રહેતા ત્રણ વૃદ્ધ લોકોના મોત થઈ ગયા બાદ સેનાને તૈનાત કરવામાં આવી છે.
કેટલીય જગ્યાએ હિંસા પણ થઈ
ડીઝલ અને પેટ્રોલ ઉપરાંત શ્રીલંકામાં ખાવા પીવાની વસ્તુઓમાં ભારે તકલીફો આવી રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સરકાર સામે આર્થિક ઈમરજન્સી લગાવાનો વારો આવ્યો છે. શ્રીલંકાના વિદેશ મુદ્રા ભંડાર સમાપ્ત થવાના આરે આવીને ઉભો છે અને કરેન્સીની વૈલ્યૂ રેકોર્ડ સ્તર પર નીચે ગઈ છે. હાલમાં સ્થિતિ એવી છે કે, દેશમાં ચોથા અને ખાંડ પણ ખૂટી રહ્યા છે. આ તમામની સામે અનાજની જમાખોરી અને કાળાબજારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.