સ્પાઈસ જેટ એરક્રાફ્ટને ભૂલમાં N- 32 કોડ આપવામાં આવ્યો હતો જેનો ઉપયોગ ભારતીય વાયુ સેના કરે છે. આ ભૂલ એ સમયે થઈ જ્યારે જેટ એરવેઝનું સંચાલન બંધ થયા બાદ સ્પાઈસજેટ પોતાના વાયુયાનનો કાફલો સતત વધારી રહ્યો હતો.
સ્પાઈસજેટના એક વિમાનને પાકિસ્તાનમાં F-16 ફાઈટર જેટ્સથી ઘેરાઈ જવાના કેસમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના એક અધિકારીની ભૂલ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ અધિકારીએ આ યાત્રી વિમાનને કર્મશિયલ એરલાઈનરની જગ્યાએ મિલિટ્રીનો ટ્રાંસપોન્ડર કોડ આપવામાં આવ્યો હતો. સ્પાઈસ જેટનું વિમાન ગયા મહિને દિલ્હીથી ઉડાન ભરીને કાબૂલ જઈ રહ્યું હતું. જ્યારે પાકિસ્તાનના આકાશમાં ખૂબ જ ભયાનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
DGCAના અધિકારીની બેદરકારી
લશ્કરી ટ્રાન્સપોન્ડર કોડ કર્મશ્યિલ કોડથી અલગ હોય છે. જો લશ્કરી કોડવાળા વિમાન કોઈ પણ રસ્તેથી જાય તો પણ નિશ્ચિત રીતે રડારની પકડમાં આવી જાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બેદરકારી બદલ ડીજીસીએ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રો કહે છે કે સ્પાઇસ જેટ વિમાનને ભૂલથી એન 32 કોડ આપવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે. જેટ એરવેઝે કામગીરી બંધ કર્યા પછી સ્પાઇસજેટ તરફથી ઝડપથી વિમાનનો કાફલો વધી રહ્યો હતો ત્યારે આ ભૂલ થઈ.
ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની સમકક્ષોનો માન્યો આભાર
DGCAના અધિકારીની આ ચૂક એટલી ગંભીર હતી કે પાકિસ્તાની એફ-16ને નુકસાન પહોંચાડ્યા વિના સ્પાઈસ જેટ એરક્રાફ્ટને પોતાની સીમાની બહાર કર્યું તો ભારતીય અધિકારીઓએ વ્યક્તિગત રીતે પાકિસ્તાની અધિકારીઓને ધન્યવાદ આપ્યા. પાકિસ્તાને ભારતીય વાયુસેના દ્વારા ફેબ્રુઆરીના છેલ્લા સમયમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય વિમાનોને માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું. તેને 16 જુલાઈએ ફરીથી એરસ્પેસ ખોલ્યું હતું. એક મહિના બાદ આ ઘટના બની. આ રીતે ગંભીર સ્થિતિને પાકિસ્તાની ઓથોરીટીએ વધારે મહત્વ આપ્યું નહીં. ભારતીય ઓથોરીટીએ તેને સંવેદનશીલતા સાથે ઉકેલ્યું અને આભાર માન્યો.
PMOએ પણ કરી ઘટનાની સમીક્ષા
લાહોરની એયર ટ્રાફિક કંટ્રોલ (ATC) સ્પાઈસજેટને મળેલા મિલિટ્રી ટ્રાન્સપોન્ડર કોડથી આ સ્થિતિ સર્જાઈ. યાત્રી વિમાન જેવું દેખાતું એરક્રાફ્ટ અને તેને મિલિટ્રી કોડ કઈ રીતે આપવામાં આવ્યો. ઘટનાની ગંભીરતાને કારણે પીએમઓએ પણ તેની સમીક્ષા કરી અને ડીજીસીએ અધિકારીને સસ્પેન્ડ કર્યો. ડીજીસીએએ એરક્રાફ્ટને ટ્રાન્સપોન્ડર કોડના અલોટમેન્ટ સિસ્ટમમાં કમ્પ્યૂટરાઈઝ્ડ કરી જેથી આ માનવીય ભૂલ ફરીથી થાય નહીં.