શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરના શ્રીનગરમાં પામ્પોર પાસે આતંકવાદીઓએ પોલીસની ગાડી પર હુમલો કર્યો. આતંકીઓએ અંધાધૂધ ફાયરિંગ કરતા એક પોલીસ કોન્સ્ટેબલ તનવીરનું મોત થયું હતું અને બે પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આંતકવાદીઓએ પમ્પોરમાં CRPFની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવી અને અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્તોને તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યારે આતંકીઓને પકડવા માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
કોન્સ્ટેબલ તનવીર શહીદ
જો કે હુમલામાં ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ તનવીર શહીદ થયો છે. ઇજાગ્રસ્ત તનવીરને તાત્કાલીક બીબી કેન્ટ સેના હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં ડોક્ટરોએ તરત તેમનું ઓપરેશન પણ કર્યું પરંતુ તેમને બચાવી ન શક્યા.
પોલીસની આ ગાડીમાં ઘણા પોલીસકર્મચારીઓ બેઠા હતા. આતંકવાદી હુમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.