મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરાએ રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની દરખાસ્ત કરી હતી. દેવરાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહના નિવેદન સાથે સંમત છે કે કોંગ્રેસના નવા પ્રમુખ યુવા, સક્ષમ અને ચૂંટણીલક્ષી, વહીવટી અને સંગઠનાત્મક ક્ષમતાઓથી સજ્જ હોવા જોઈએ અને તેમની સમગ્ર દેશમાં અપીલ થવી જોઈએ.
M Deora, Mumbai Congress President: I agree with Punjab CM that new Congress Pres should be young, capable&possess electoral, administrative&org experience with a pan India appeal. In my view, Sachin Pilot & Jyotiraditya Scindia have these qualities & can provide strength to org. pic.twitter.com/ZPlFvAGQ3B
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, "મારા મતે, સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયામાં આ તમામ પ્રકારની ક્ષમતા છે અને તે સંગઠનને તાકાત આપી શકે છે અને વિરોધ પક્ષમાં ઉત્સાહ વધારી શકે છે." દેવરાએ કહ્યું, "હું સ્પષ્ટ રીતે પોતાને અળગો કરી રહ્યો છું. કારણ કે હું મારી ક્ષમતાને જાણું છું અને હું પાર્ટીના હિતમાં કોઈપણ પ્રકારનું તથા કોઇપણની સાથે કામ કરવા તૈયાર છું.
નોંધનીય છે કે, દેવરાએ વધુમાં કહ્યું કે, પાઇલટ અથવા સિંધિયાએ ઓછામાં ઓછા વચગાળાના પ્રમુખ બનાવવા જોઈએ અને ગાંધી પરિવારે જાહેરમાં તેમનું સમર્થન આપવું જોઈએ. તેમને પૂછવામાં આવ્યું હતું કે જો પાર્ટી આ સિવાય બીજા કોઈની પસંદગી કરે છે તો દેવરાએ કહ્યું હતું કે, જો પાર્ટી સામૂહિક રીતે કોઈ ચૂંટણી કરીને પસંદગી કરે છે, તો હું તેમની સમજણનો આદર કરીશ, પરંતુ જો પાર્ટી અથવા જનતા મારા આકારણી સાથે અસંમત હોય તો મને આશ્ચર્ય થશે. ''
ફરીવાર મતદાતાઓને આકર્ષિત કરવા પડશે
નવા અધ્યક્ષ નક્કી કરવા માટે પાર્ટીમાં અસ્પષ્ટતાના સવાલ પર પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે 13 કરોડ મતદારોનો વિશ્વાસનો આદર કરવો જોઈએ, જેમણે તેને મત આપ્યો હતો અને નિર્ણાયક પગલા ભરવા જોઈએ. તેમણે કહ્યું, "આ એક વ્યાજબી સમય છે કે આપણે એક પક્ષ તરીકે આપણા નેતૃત્વ માટે સામૂહિક રીતે અપીલ કરવી જોઈએ. મારા મતે, આપણે કેડરમાં ઉત્સાહ ભરવો જોઈએ અને મતદારોને ફરીથી આકર્ષવા જોઈએ. "