ભારતમાં ગેરકાયદેસર વસતા પ્રવાસીઓને ઉઠાવીને બહાર કરી દેવા જોઇએ
ગેરકાયદેસર વસતા પ્રવાસીઓને કારણે રાજ્યોને બોઝ સહન કરવો પડે છે
અહીં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે, આ પ્રવાસીઓ આવે છે અને દેશભરમાં ફેલાઇ જાય છે. રાજ્યોને તેમનો બોઝ સહન કરવો પડે છે. તેઓ સ્થાનીય યુવાઓની નોકરીઓ છિનવી લે છે. આવા પ્રવાસીઓ પછી ગમે ત્યાં હોય, તેમને દેશમાંથી બહાર કરી દેવા જોઇએ. એક તરફ જ્યાં પ્રવાસી શરણાર્થીઓને નાગરિકતા દસ્તાવેજ સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ ઠાકરેએ નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર ( NRC)ને લઇને કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે.
રાજ ઠાકરે આગળ કહ્યું કે, 'આ રમત રમવા માટે હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધન્યવાદ પાઠવું છું. એક જ પગલા (સીએએ-એનઆરસી)થી દેશમાં ઉભા થયેલા આર્થિક સંકટથી લોકોનું ધ્યાન હટી ગયું. વાહ, શું રમત રમી!' તેઓએ માંગ કરી અને પૂછ્યું કે, 135 કરોડ લોકોના આ દેશમાં શું ખરેખર બહારથી લોકોને લાવવાની જરૂર હતી? અથવા તો ભારત શરણાર્થીઓ માટે એક ધર્મશાળા બની ચૂક્યું છે.
મનસેના સુપ્રીમોએ એ વાત પર આશ્ચર્ય દર્શાવ્યું કે, કેમ કેટલાક જ ધર્મોના લોકોને નાગરિકતા અને અન્ય લોકોને તેનાથી વંચિત રાખવા જોઇએ. તેઓએ કહ્યું કે, સરકારે પહેલા જાણવું જોઇએ કે, સદીઓથી દેશમાં રહી રહેલા ભારતીય મુસ્લિમ કોણ છે અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા પ્રવાસી કોણ છે. આ વિશે જાણકારી મેળવ્યા બાદ તેમને દેશમાંથી નીકાળવા જોઇએ.
રાજ ઠાકરેએ કહ્યું કે, ''એ નથી સમજાઇ રહ્યું કે, જ્યારે આપણી સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો, તો આપણે કેમ શરણાર્થીઓને નાગરિકતા આપી રહ્યા છે? શું શરણાર્થીઓને શરણ આપવા માટે માત્ર આપણે જ બચ્યા છીએ? સરકારે સૌ પ્રથમ પોતાના નાગરિકોની ચિંતા કરવી જોઇએ.''
નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC ની વિરુદ્ધ રસ્તાઓ પર થઇ રહેલા વિરોધ પ્રદર્શન પર તેઓએ કહ્યું કે, તેમાંથી કેટલા ભારતીય મુસ્લિમો છે, અને કેટલા પ્રવાસી છે. શું સરકારને આ વાતની જાણકારી છે. તેઓએ કહ્યું કે, ''પોલીસને તમામ બાબતની જાણ છે, પોલીસ પોતાના અધિકાર ક્ષેત્રમાં રહેતા પ્રવાસીઓ વિશે પણ જાણે છે, પરંતુ તેમના હાથ બંધાયેલા છે. પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતી.''