મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે એક વાત ધ્યાન રાખી લેવાની જરૂર છે કે પ્રવાસીઓને હવે મહારાષ્ટ્ર આવતાં પહેલાં પરમિશન લેવાની રહેશે.
CM યોગીએ પરમિશન લેવા માટે જાહેર કર્યું ફરમાન
રાજ ઠાકરે પણ જાહેર કર્યું આ ફરમાન
પ્રવાસીઓએ મહારાષ્ટ્ર આવવા માટે પણ લેવી પડશે પરમિશન
પ્રવાસીઓના મુદ્દે ઉત્તરપ્રદેશ સરકાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે સામ સામે આવ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથ ધ્યાન રાખી લે કે હવે પ્રવાસીઓને મહારાષ્ટ્ર આવવા માટે પહેલાં પરમિશન લેવી પડશે. આ સાથે રાજ ઠાકરેએ ઉદ્ધવ સરકારને અપીલ કરી છે.
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે તેની પર ધ્યાન આપવું જોઈએ અને પોલિસ સ્ટેશનમાં પ્રવાસીઓનો રેકોર્ડ બનાવવો જોઈએ. રાજ ઠાકરેએ આ નિવેદન બાદ પ્રવાસીઓને લઈને રાજકારણમાં નવો વળાંક આપ્યો છે.
અગાઉ સીએમ યોગીએ કહ્યું આવું
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું કે કોઈ પણ રાજય જે ઉત્તરપ્રદેશના શ્રમિકો પરત બોલવવા ઈચ્છે છે તેઓએ યૂપી સરકારની પરમિશન લેવાની રહેશે. શ્રમિકોને બોલાવવાની ઈચ્છા રાખનારા રાજ્ય કે કંપનીએ સામાજિક, કાયદાકીય અને અધિકારો માટે આશ્વાસન આપવાનું રહેશે.