તમે મજૂરોને ચાલતા, ટ્રકથી લટકીને અથવા બસ કે ટ્રેનથી ઘરે આવતા જોયા હશે, પરંતુ પહેલી વાર મજુરોની ઘર વાપસી ફ્લાઈટથી થવા જઈ રહી છે. મુંબઈમાં મજુરોને લઈને ફ્લાઈટ રાંચીથી રવાના થઈ છે. એનજીઓની મદદથી 177 મજુરોને એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા છે. રાંચીમાં જ્યારે આ ફ્લાઈટ લેન્ડ કરશે ત્યારે શ્રમ મંત્રી પોતો એરપોર્ટ પર હાજર રહેશે.
એનજીઓની મદદથી લાવવામાં આવી રહ્યા છે મજૂરો
સીએમ સોરેન બોલ્યા- અંડમાનથી પણ આવશે 2 ફ્લાઈટ્સ
આ રીતે મજુરોને ફ્લાઈટથી ઘરે પાછા મોકલવામાં આવ્યા
મુંબઈ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર સવારે 2 વાગે 177 મજુરોની લાઈન લાગી છે. દરેક મજુર સવારે 6 વાગે એર એશિયાની ફ્લાઈટમાં ઉડાન ભરવા પહોંચ્યા હતા. બેંગલોર લો સ્કુલ એલુમનાઈ અસોશિયેશનની પ્રિયંકા રમન સુનિશ્ચિત કરી રહી હતી કે દરેક લોકો એરપોર્ટ પર પહોંચ્યા કે નહીં.
આ લો સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનએ કેટલીક એનજીઓ સાથે મળીને મુંબઈના જુદા જુદા ભાગોથી સ્થળાંતર કરનારાઓને ભેગા કર્યા. તેમજ તેમની એર ટિકિટની પણ વ્યવસ્થા કરી હતી. પ્રિયંકા રમણ કહે છે કે અમને ખબર હતી કે રાંચીથી ઘણા પરપ્રાંતિયો છે. જે પાછા જવા માંગતા હતા. તેથી અમે પ્રયત્ન કર્યો અને પાછા મોકલવાનો નિર્ણય કર્યો.
પ્રિયંકા કહે છે કે અમે આવા રાજ્યના મજૂરોને પરત મોકલવાનું નક્કી કર્યુ હતું. જ્યાં પરિવહન સંપર્ક નબળું હોય. અંતે અમે નિર્ણય કર્યો કે અમે ઝારખંડના લોકોને પાછા મોકલીશું. આ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભંડોળનું આયોજન કર્યું હતું. જેમાં તમામ સ્થળાંતરકારો માટેની ટિકિટ, એરપોર્ટ ફી અને પરિવહન ફીનો સમાવેશ કર્યો છે.
મોટી સંખ્યામાં મજૂરો આજે વિમાન દ્વારા ઝારખંડ પરત ફરી રહ્યા છે. આ મજૂરોની ખુશી સ્પષ્ટ દેખાય છે. ઘરે જઈ રહેલી મંજુ દેવી કહે છે કે અમે પાછા જઇ રહ્યા છીએ કારણ કે ફરીથી કામ શરૂ થશે તેની કોઈ ગેરેંટી નથી. અમે હવે પાછા નહીં ફરીએ. અમે અહીં છેલ્લાં બે મહિનાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
મંજુનો પતિ વિરારમાં ડ્રાઇવર હતો. છેલ્લા બે મહિનાથી આવી મુશ્કેલીઓને યાદ કરતાં મંજુ કહે છે કે ત્યાં ખૂબ જ ઓછું જમવાનું હતુ અને નાના બાળકો માટે તેની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. તે કહે છે કે ઝારખંડમાં ઘર ચલાવવું મુશ્કેલ બનશે. પરંતુ કમ સે કમ તેઓ ઘરે હશે.
પરપ્રાંતોને ઘરે મોકલવાના અભિયાનનો ભાગ પ્રિય શર્મા કહે છે કે અમને ખબર છે કે રાંચી માટે ઘણી ટ્રેનો નહોતી. તેથી અમે મુંબઇ અને પૂણેમાં ફસાયેલા સ્થળાંતરીઓને શોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ફ્લાઇટ માટે સ્થળાંતર કરનારાઓને સમજાવવું સહેલું નથી. કેમ કે હાલના સમયમાં ઘણા લોકો મૂંઝવણમાં મુકાયા હતા.
મજુરો અને પૂર્વ વિદ્યાર્થીના જૂથોનું કહેવું છે કે જો તેમને અન્ય રાજ્ય સરકારોનો ટેકો મળે તો તેઓ વધુ સ્થળાંતર મંજૂરોને રાજ્યોમાં મોકલવા માટે તૈયાર હશે.
ત્યારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું કે ખુશીની વાત છે કે ઝારખંડના મજુરો વિમાનથી તેમના રાજ્ય પરત ફરી રહ્યા છે. અંદમાનમાં ફસાયેલા લોકોને લાવવા માટે વધુ બે ફ્લાઇટ ટૂંક સમયમાં રાંચી ઉતરશે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર ફ્લાઇટ ભાડુ ઉઠાવી રહી છે.