ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે લોકડાઉન દરમિયાન શ્રમિકો દેશભરમાં પોતાના વતન પરત ફર્યા હતા. જો કે શ્રમિકોને લઇને રાજ્ય સરકારો દ્વારા રાહત પેકેજોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સરકારે લોકડાઉનમાં શ્રમિકો માટે 250 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જો કે હજુ આ પેકેજમાં 157.85 કરોડ વણવપરાયેલા હોવાનું સામે આવ્યું છે.
સરકારે લોકડાઉનમાં શ્રમિકો માટે જાહેર કર્યું હતું પેકેજ
શ્રમિક દીઠ 1 હજાર આપવાની કરી હતી જાહેરાત
રાજ્યમાં શ્રમિકો પ્રત્યે સરકારની બેવડી નીતિ સામે આવી છે. સરકારે શ્રમિકોનું 157.85 કરોડ પેકેજ વાપર્યું જ નથી. સરકાર દ્વારા લોકડાઉનમાં શ્રમિકો દીઠ 1 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા 250 કરોડનું પેકેજ જાહેર કરાયું હતુ.
શ્રમિકોના પેકેજમાંથી માત્ર 50 ટકા રકમ જ ખર્ચ થઈ છે. અત્યાર સુધીમાં 3 લાખ 68 હજાર 735 શ્રમિકોને સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે 2 લાખ 69 હજારથી વધુ શ્રમિકો રાહત પેકેજથી વંચિત રહ્યા છે.
પ્રાપ્ત મળતી વિગત મુજબ શ્રમિકો માટે રાજ્ય સરકારના બેવડા ધોરણ? રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન શ્રમિકો માટે 250 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શ્રમિક દીઠ 1,000 આપવાની જાહેરાત કરાઇ હતી.
જો કે સરકાર દ્વારા શ્રમિકો માટે જાહેરા કરાયેલા આ પેકેજમાં 2.69 લાખ શ્રમિકો આ પેકેજથી વંચિત રહ્યાં હોવાનું સામે આ્યું છે. શ્રમિકોના પેકેજમાંથી માત્ર 50 ટકા રકમ ખર્ચ થયો. એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 3 લાખ 68 હજાર 735 શ્રમિકોને સહાય ચુકવવામાં આવી છે.