લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને વધારે મજબૂર બનાવી દીધા છે. તેમની સામે ફક્ત ખાવા પીવાનું જ સંકટ નથી. તેમની આવકનો પણ કોઈ સોર્સ રહ્યો નથી. આ કારણે તેઓ પોતાના ધંધાના સ્થળેથી વતન પગપાળા જવા નીકળ્યા છે. પલાયન કરી રહેલા મજૂરો ટ્રેન અને સડક દુર્ઘટનાઓનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓના અંતે ફક્ત 10 દિવસમાં 99 પ્રવાસી મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
લોકડાઉનનો શિકાર
99 પ્રવાસી મજૂરોએ 10 દિવસમાં ગુમાવ્યા જીવ
ટ્રેન અને સડક દુર્ઘટનાનો બન્યા હતા શિકાર
આ રીતે મજૂરોએ ગુમાવ્યા છે જીવ
ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં પ્રવાસી મજૂરો ભરેલા ડીસીએમમાં શનિવારે સવારે ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં હાલ સુધીમાં 24 મજૂરોના મોત થયા છે. તો 35 મજૂરો ઘાયલ થયા છે. ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલ અને સૈફઈ પીજીઆઈ મોકલવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના ગુનામાં શુક્રવારે મોડી રાતે ગંભીર સડક અકસ્માત થયો હતો અને તેમાં 3 પ્રવાસી શ્રમિકોના મોત થયા હતા. આ ત્રણેય મજૂરો યૂપીના હતા અને સાથે જ મુંબઈ થી પોતાના વતન જઈ રહ્યા હતા. પિકઅપ વાનમાં સવાર આ મજૂરોના વાહનને ટ્રકે ટક્કર મારી હતી. તેમાં પણ 15 મજૂરો ઘાયલ થયા હતા.
ગુરુવારે ગુનામાં થયેલી સડક દુર્ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા હતા. શ્રમિકોથી ભરેલી મીની ટ્રકને બસે ટક્કર મારી હતી. દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા હતા. અને 55 જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા.
યૂપીના મુઝફ્ફર નગરમાં બુધવારે રાતે 11.45ના સમયે રોડવેઝ બસે પગપાળા જઈ રહેલા મજૂરોને કચડી નાંખ્યા હતા. 6 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને 4 ઘાયલ થયા હતા. તમામ મૃતક શ્રમિકો ગોપાલગંજના રહેવાસી હતા. તેઓ પંજાબથી પગપાળા વતન જઈ રહ્યા હતા.
10 મેના રોજ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં એક સડક દુર્ઘટનામાં 5 મજૂરોના જીવ ગયા. નરસિંહપુર જિલ્લાના મુંહવાની પાસે પાઠા ગામના આસપાસ કેરીથી ભરેલું ટ્રક બેલેન્સ ખોવી દેતા પલટી ખાઈ ગયું હતું. તેમાં 20 શ્રમિકો હતા. 5 મજૂરોના દબાઈ જવાના કારણે મોત થયા હતા અને અન્ય 2ની હાલત ગંભીર જણાવાઈ હતી.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલ દુર્ઘટનામાં 16 પ્રવાસી શ્રમિકોના મોત થયા હતા. ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 16 પ્રવાસી મજૂરો મધ્યપ્રદેશના રહેવાસી હતા. તેમાંથી 11 શહડોલ અને 5 ઉમરિયા જિલ્લાના હતા. 40થી 45 કિલોમીટર ચાલ્યા બાદ તેઓ થાકીને રેલ્વે ટ્રેક પર સૂઈ ગયા હતા અને આ ઘટના બની હતી.