રવિવારે નૌકાદળનું મિગ-29 વિમાન ક્રેશ થયું હતું. જો કે વિમાનમાં સવાર પાયલોટ માંડ માંડ બચી ગયો હતો. વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર નીકળી ગયો.
ગોવામાં ટ્રેનિંગ સમયે બની દુર્ઘટના
દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત
મામલાની તપાસના અપાયા આદેશ
મિગ-29 વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત
આ અંગે અકસ્માતની તપાસ માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે સવારે લગભગ 10.30 વાગ્યે ગોવામાં એક ટ્રેઇનિંગ પાઇલટનું મિગ - 29 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. વિમાનના પાઇલટને સુરક્ષિત રીતે બહાર કાઢીને વિમાનને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. ઘટનાની તપાસ માટે તપાસના જરૂરી આદેશ જાહેર કરાયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નેવીનું મિગ - 29 વિમાન સવારે સાડા દસ વાગ્યે રૂટિન ટ્રેનિંગ સેશન માટે રવાના થયું હતું. ફ્લાઇટના થોડા સમય બાદ વિમાનના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું. જો કે, અકસ્માત પહેલા પાઇલટ સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
Indian Navy: Today at around 1030 hours a MiG-29K aircraft, on a routine training sortie, crashed in Goa. The pilot of the aircraft ejected safely and has been recovered. An enquiry to investigate the incident has been ordered. pic.twitter.com/wOCCo9qunU
તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં પણ આ જ પ્રકારનું નેવી વિમાન ગોવામાં તૂટી પડ્યું હતું. 16 નવેમ્બરના રોજ બનેલી આ ઘટના દરમિયાન વિમાનમાં સવાર પાયલટને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા.
આ ઘટનાના ત્રણ મહિનામાં જ બીજું વિમાન પણ આ અકસ્માતનો ભોગ બન્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે ક્રેશ થયેલ વિમાનનો કાટમાળ રવિવારે અકસ્માત બાદ મળી આવ્યો છે અને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અગાઉ ઘણા અન્ય મિગ - 29 વિમાનો અન્ય ઘણા કારણોસર ક્રેશ થઈ ચુક્યા છે.