ભારતના મિત્ર દેશ એવા ઈઝરાયલમાં રાજકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. જ્યાં ગઠબંધનવાળી સરકાર પડી ગઈ છે, સૌથી રસપ્રદ બાબત એ છે કે, અહીં વિપક્ષ પાસે સત્તાધારી ગઠબંધન કરતા ફક્ત એક સીટ ઓછી છે.
ઈઝરાયલમાં રાજકીય સંકટ આવી પડ્યું
નફ્તાલી ગઠબંધનવાળી સરકાર પડી ગઈ
3 વર્ષમાં પાંચમી વાર યોજાશે ચૂંટણી
ઈઝરાયલમાં મોટુ રાજકીય સંકટ ઊભું થયું છે. નફ્તાલી બેનેટના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પડી ગઈ છે. દેશમાં ચાર વર્ષથી પણ ઓછા સમયમાં પાંચમી વાર સામાન્ય ચૂંટણી યોજાશે. ઓક્ટોબરના અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. ઈઝરાયલી પીએમ નફ્તાલી બેનેટ સાથે એક ડીલ અંતર્ગત વિદેશ મંત્રી યાયિર લૈપિડ આવનારા ટૂંક સમયમાં દેશની ધુરા સંભાળશે.
સોમવારે નફ્તાલી બેનેટ અને યાયિર લૈપિડ સંસદ ભંગ કરવા માટે સહમત થઈ ગયા. કેટલાય અઠવાડીયાથી અટકલો લગાવામાં આવી રહી હતી કે, ઈઝરાયલનું સત્તાધારી ગઠબંધન તૂટી શકે છે. એક સંયુક્ત નિવેદનમાં બેનેટ અને લેપિડે પોતાના દળની વચ્ચે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. તેમાં કહેવાયુ હતું કે, બંને સંસદ ભંગ કરવા માટે એક બિલ લાવીશું અને ઓક્ટોબરમાં ચૂંટણી થવાની આશા છે.
બેનેટ સરકાર પાસે વિપક્ષથી બસ એક સીટ વધારે
બેનેટ સરકાર પહેલાથી જ અલ્પમતમાં હતી અને તેમની પાસે વિપક્ષ કરતા ફક્ત એક સીટ વધારે હતી. બેનેટ સરકારના પક્ષમાં 60 જ્યારે વિપક્ષની પાસે 59 સાંસદો હતા. હવે યાયિર લાપિડે પણ અલાયંસમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાયલમાં બે વર્ષમાં ચાર સરકારો અલ્પમત આવી ગઈ અને તેના કારણે ચૂંટણીઓ યોજવી પડી.
સહયોગીઓ શા માટે છે નારાજ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 8 પાર્ટીઓના ગઠબંધનમાં સામેલ યુનાઈટેડ અરબ લિસ્ટ ફિલિસ્તાન મામલે બેનેટ સરકારથી નારાજ છે. ફિલિસ્તાની વસ્તીઓને લઈને તેમને સરકાર સાથે પહેલાથી ખાટા સંબંધો છે. પાર્ટીનું કહેવુ છે કે, બેનેટ સરકાર ફિલિસ્તાની વસ્તીઓમાં યહુદીઓને જગ્યા આપી રહી છે અને તે અરબ મૂળના લોકો સાથે અન્યાય કરી રહી છે.
શું નેતન્યાહૂની વાપસી થશે
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પૂર્વ પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ ફરી એક વાર સરકાર બનાવી શકે છે. તેના માટે તેમને ફક્ત બે સીટ માટે રાહ જોવાની છે. પૂર્વ પ્રધાનમંત્રી અને હાલના વિપક્ષી નેતા બેંઝામિન નેતન્યાહૂએ સત્તામાં પાછા આવવાની કસમ ખાધેલી છે.