રાજકોટ: રાજકોટમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શુક્રવારથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે.
આ હડતાળમાં રાજ્યના મધ્યાહન ભોજનના તમામ કર્મચારીઓ જોડાશે. પગાર વધારો નાસ્તા માટે અનાજનો જથ્થો અલગ ફાળવવા સહિતની માંગને લઈને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે મધ્યાહન ભોજનના કર્મચારીઓએ એક મહિના પહેલા સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. જેમાં આપેલી મુદ્દત જે શુક્રવારે પૂર્ણ થતાં આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.