અમદાવાદમાં ડ્રેનેજની સમસ્યાનું હવે કાયમી નિરાકરણ આવી જાય તે દિવસો દૂર નથી. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માઈક્રો ટનલ ડ્રેનેજની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ હેઠળ રોબોટિક પદ્ધતિથી જમીનની નીચે 20થી ચાલીસ ફૂટની ઊંડાઈએ ટનલિંગ બનાવવામાં આવશે અને અને આ પદ્ધતિથી જ ડ્રેનેજ લીકેજ રિપેરિંગ કામ પણ કરવામાં આવશે. ત્યારે જોઈએ આ અહેવાલ.
અમદાવાદ શહેરનાં 48 વોર્ડમાં સમયાંતરે ઉભી થતી ગટર ઉભરાવવાની સમસ્યાનો અને ટ્રાફિક ડાઈવર્ઝનની સમસ્યાનો ઉકેલ હવે હાથવેંતમાં જણાઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા કામગીરી શરૂ કરી છે. હવે અમદાવાદનાં ઈતિહાસમાં પ્રથમ વખત માઈક્રો ડ્રેનેજ (Micro drainage project) લાઈન પદ્ધતિથી જમીનની અંદર 20થી ચાલીસ ફૂટ ઊંડી ટનલ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરાથી પાલડી એમ 6 કિલોમીટર લાંબી આ લાઈનમાં બે અલગ અલગ રૂટ બનાવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ડ્રેનેજની મોટી લાઈનો નાખવાના યુગની હવે શરૂઆત થઈ ગઈ છે. કેમ કે અમદાવાદમાં હવે માઈક્રો ટનલિંગ ટેકનોલોજીનો ઉપયોગનો પ્રારંભ થઈ ગયો છે. આ ટેકનોલોજી હેઠળ પાંચ બાય સાત મીટરનો એક શાફ્ટ તૈયાર કરવામાં આવે છે. એ શાફ્ટમાં ક્રેનની મદદથી ટનલ બોરિંગ મશીન ઉતારવામાં આવે છે. આ ટનલ બોરિંગ મશીન દ્વારા બેથી ત્રણ મીટર ડાયામીટરનો હોલ બનાવશે જેમાં મશીનની મદદથી ડ્રેનેજ પાઈપ પુશિંગ કરવામાં આવશે. આ ટનલ બોરિંગ મશીન 20થી 40ફૂટ જમીન નીચે ટનલ બનાવશે અને જમીન પરની ઈમારતોને કશું પણ નુકસાન નહીં થાય કે રસ્તાને ડાયવર્ઝન કરવાની પણ જરૂર નહીં પડે.
એક સો વીસ કરોડ રૂપિયાનાં ખર્ચે આ માઈક્રો ડ્રેનેજએક સો વીસ કરોડ રૂપિયાનાં ખર્ચે આ માઈક્રો ડ્રેનેજ ટનલિંગનો પ્રોજેકટ હાથ ધરાવામાં આવ્યો છે. આશ્રમ રોડ ઉપર નવા વાડજથી પાલડી ચાર રસ્તા પાસેના મહાલક્ષ્મી ચાર રસ્તાથી નદી સુધી ઈન્ટર સેપ્ટર લાઈન સુધી આ માઈક્રો ડ્રેનેજ લાઈન લઈ જવામાં આવશે. ટનલિંગનો પ્રોજેકટ હાથ ધરાવામાં આવ્યો છે. આશ્રમ રોડ ઉપર નવા વાડજથી પાલડી ચાર રસ્તા પાસેના મહાલક્ષ્મી ચાર રસ્તાથી નદી સુધી ઈન્ટર સેપ્ટર લાઈન સુધી આ માઈક્રો ડ્રેનેજ લાઈન લઈ જવામાં આવશે. અમદાવાદનાં ઈતિહાસમાં આ ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેકેટ હાથ ધરવાનાં પ્રસંગે મેયર બિજલ પટેલે સફળતાની આશા વ્યક્ત કરી હતી.
આ પ્રોજેકટનાં ઘણા બધા ફાયદા છે. આવનારા 30થી ચાલીસ વર્ષને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ અમલમાં મૂકાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ નદીમાં ભળતા ગટરનાં પાણીનો પ્રશ્ન સંદતર બંધ થઈ જશે. વળી જો ડ્રેનેજ લાઈનનું કામ પારંપરિક પદ્ધતિથી કર્યું હોત તો આખો આશ્રમ રોડ 3 વર્ષ માટે બંધ રાખવો પડત. પરંતુ આ ટ્રેન્ચલેસ ટેકનોલોજી દ્વારા માઈક્રો ટનલિંગ પદ્ધતિ વાપરવાથી નાગરિકોને કોઈ પ્રકારની દુવિધા ભોગવવી નહીં પડે.