અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ 19 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે. આમ, શહેરમાં કુલ 300 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મુકાયા છે.
અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ
શહેરમાં વધુ 19 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા
શહેરમાં કુલ 300 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરફાર છે. હાલ 24 કલાકમાં વધુ 19 વિસ્તારનો ઉમેરો થયો છે. હવે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો 300 પર પહોંચ્યો છે. અમદાવાદના મણિનગર, થલતેજ, બોડકદેવ, ગોતા, ઓઢવ, નિકોલ, ભાઈપુરા, વસ્ત્રાલ, પાલડી, રાણીપ, વેજલપુર અને સરખેજમાં માઇક્રો કન્ટેનમેન્ટમાં નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! 24 કલાકમાં 2875 નવા કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.