પાલીતાણાઃ આજે જૈન સમાજના પર્યુષણનો છેલ્લો દિવસ અને સવંત્સરી છે. આજના આ દિવસે જૈનસમાજના લોકો દ્વારા સવંત્સરીનું પ્રતિક્રમણ કરી એકબીજાને તેમજ અન્ય સમાજના લોકોને મિચ્છામીદુક્કડમ પાઠવ્યા. સાથે પોતાનાથી થયેલી કોઈ ભૂલ કે જો કોઈ ની પણ જાણતા કે અજાણતા કોઈની લાગણી કોઈ પણ કારણોસર દુભાઈ હોય તો આજે તેને આજે ક્ષમ્ય ગણી મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા.
ત્યારે જૈનો ના પવિત્ર તીર્થ પાલીતાણામાં પણ સાધુ ભગવંતોની નિશ્રામાં તપસ્યા કરવા આવેલ તપસ્વીઓએ સવંત્સરીનું પ્રતિક્રમણ કરશે. પૂજા અર્ચના કરી એક બીજાને મિચ્છામીદુક્કડમ એટલે કે એક બીજા ની માફી માંગી હતી.