ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની પહેલી ક્વોલિફાઇંકગ મેચ દરમિયાન ચેન્નાઇને મુંબઇની સામે હાર મળી હતી. મેચ પછી ધોનીએ પોતાના બેટ્સમેનથી નારાજ જોવા મળ્યો હતો. ધોનીએ મેચ પછી કહ્યુ કે, અમારા બેટ્સમેનોએ વધારે સારું ફોર્મ કરવાની જરૂર હતી. મુંબઇની ટીમે આ સિઝનમાં ચેન્નાઇને ચોથી વખત હરાવ્યુ છે.
PLના પહેલા ક્વૉલિફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઇ સુપર કિંગ્સને તેના ઘરમાં હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી દીધી છે. ચેન્નાઇની ટીમ અહીંયા ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ધોનીની ટીમે 131 રન કર્યા. મુંબઇએ 9 બૉલ બાકી રહેતા આ ટાર્ગેટ પૂરો કરી દીધો હતો. મેચ પછી ધોનીએ પોતાના બેટ્સમેનથી નારાજ જોવા મળ્યો હતો. ધોનીએ મેચ પછી કહ્યુ કે, અમારા બેટ્સમેનોએ વધારે સારું ફોર્મ કરવાની જરૂર હતી. મુંબઇની ટીમે આ સિઝનમાં ચેન્નાઇને ચોથી વખત હરાવ્યુ છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યુ કે, ''કોઇ એક તો હારવું હતુ, અમારી બેટિંગમાં ચૂક રહી ગઇ. અમે અમારા ઘર આંગણે રમી રહ્યા હતા, તો અમારે અહીંયા સ્થિતિ સમજવાની જરૂર હતી. અમે આ પિચ પર 6-7 મેચ રમી છે અને આ પિચ જલ્દીથી સમજવી જોઇએ. આ હોમ એડવાન્ટેજ છે.''
એમએસ ધોનીએ ટીમ પર નારાજગી દર્શાવતા કહ્યુ કે, ''અમારા બેટ્સમેનની જરૂર હતી કે તેઓ જલ્દીથી સમજી લે કે આ પિચનો વ્યવહાર કેવો છે. બૉલ અહીંયા બેટ પર આવી રહ્યો છે કે નહી. આ એવી સ્થિતિ હતી, જેમાં અમે સારુ ના કરી શક્યા. મને લાગે છે કે અમારે બેટિંગ સુધારવાની જરૂર છે. ''
CSKના કેપ્ટને કહ્યુ કે, ''અમારી પાસે શાનદાર બેટ્સમેન છે. ક્યારેક એવુ લાગે છે કે, અમે સારી બેટિંગ કરી રહ્યા છે પરંતુ ક્યારેક કોઇ મેચમાં અમારા બેટ્સમેન એવા શૉટ રમી જાય છે, જે તેણે ના રમવા જોઇએ. અમે પ્લેયર્સ પર વિશ્વાસ રાખ્યો છે કે તેઓ અનુભવી છે અને તેમણે તમામ કન્ડિશનમાં બેટિંગ કરવી જોઇએ. આશા કરું છુ કે આગામી મેચમાં તેઓ આ વાતનું ધ્યાન રાખશે.''
ધોનીએ અહીંયા ફિલ્ડિંગ દરમિયાન કેચ છૂટવાનો પણ અફસોસ જતાવ્યો. તેણે કહ્યુ કે, ''મને લાગે છે કે થોડો નસીબનો પણ સાથ ન હતો. કેટલીક બૉલ યોગ્ય જગ્યાએ પડી હતી પરંતુ કેચ છૂટી ગયા. અમે કદાચ બેટ્સમેન્સને બૉલથી દૂર રાખવા જોઇતા હતા અને બૉલની સ્પીડ ઓછી કરવી જોઇતી હતી પરંતુ અમારી પાસે પર્યાપ્ત રન ન હતા અને એવામાં દરેક બ્રાઉન્ડ્રી પર 130ના સ્કોરની રક્ષા કરવી મુશ્કેલ હોય છે..''