કેન્દ્ર સરકારે લાખો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને સારા સમાચાર આપ્યા છે. આ સમાચાર ખાસ કરીને એ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અને માતાપિતા માટે છે, જે દેશની કોઇપણ નવોદય વિદ્યાલય ( Navodaya Vidyalaya Samiti) અથવા કેન્દ્રીય વિદ્યાલય (KV- Kendriya Vidyalaya) માં એડમિશન ઇચ્છે છે.
વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે ખુશખબર
OBCના વિદ્યાર્થીઓના અનામતમાં વધારો કરાયો
આ નિર્ણય આવતા શૈક્ષણિક સત્રથી કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં લાગૂ થશે
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ સંધમાં સૂચના જાહેર કરી છે. તેના અનુસાર, હવે અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓના અનામતમાં વધારો કરવામાં આવ્યો છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય અનુસાર, શૈક્ષણિક સત્ર 2020-21માં નવોદય અને કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ લેનાર અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે અનામતમાં વધારાને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.
Extension of reservation to Other Backward Classes (OBC) students for admission to Navodaya Vidyalayas and Kendriya Vidyalaya approved by Ministry of Human Resource Development from Academic session 2020-21.
આ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે 27 ટકા બેઠક અનામત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આવતા શૈક્ષણિક સત્રથી કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં લાગૂ થઇ જશે. આ સંબંધમાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઓબીસી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ માટે 27 ટકા બેઠક અનામત કરવાનો નિર્ણય કર્યો છે.
તેઓએ જણાવ્યું કે, વર્તમાન શૈક્ષણિક સત્રનો લગભગ અડધો સમય પસાર થઇ ચૂક્યો છે. તેથી આ નિયમ આવતા સત્રથી દેશના તમામ કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં લાગૂ કરવામાં આવશે.