વૉટ્સઍપ પર જાસૂસીને લઈને ગૃહમંત્રાલયે નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે સરકાર પર પ્રાઈવસીના ઉલ્લંઘનનો આરોપ સદંતર પાયાવિહોણો છે. આમ કરીને સરકારની છબી ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. સાથે જ મંત્રલાયે કહ્યું છે કે સરકાર પ્રાઈવસી પ્રોટેક્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે અને જે પણ દોષિતોને કડક કાર્યવાહી થશે.
બીજી બાજુ રવિશંકર પ્રસાદે પણ આપી પ્રતિક્રિયા
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વ્હોટ્સએપ (WhatsApp) જાસૂસી મામલામાં નિવેદન આપ્યું છે. એમણે કહ્યું, ભારતના નાગરિકોની વ્હોટ્સએપ પર પ્રાઈવસી ઉલ્લંઘન થવાને લઇને સરકાર ચિંતિંત છે. Whatsapp સાથે આ મામલે વાત કરી છે અને તેમને પૂછ્યું છે કે તે લાખો ભારતીયોની પ્રાયવર્સીની સુરક્ષાને લઇને શું કરી રહ્યા છે.
રવિશંકરે કહ્યું, સરકાર તમામ ભારતીય નાગરિકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી એજન્સીઓની પાસે દેશ હિતમાં રોક લગાવવા માટે સ્થાપિત પ્રોટોકોલ છે. તેમા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સીનિયર અધિકારીઓ દ્વારા પ્રતિબંધ અને સુપરવિઝન સામેલ છે.
મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે, જેમા ગોપનીયતાનો અધિકાર પણ સામેલ છે. એવામાં ગોપનીયતા ભંગ કરવા માટે જવાબદાર કોઇપણ મધ્યસ્થી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એ સ્પષ્ટ છે કે ભારત સરકારે કાનૂનની જોગવાઇ અનુસાર કડક રીતે કામ કર્યું અને પ્રોટોકોલનું પાલન કર્યું. કોઇ નિર્દોષ નાગરિકનું ઉત્પીડન ન થાય અથવા તેની ગોપનીયતા ભંગ ન થાય, તેના માટે પર્યાપ્ત સુરક્ષા ઉપાય છે.
સરકારે માંગ્યો જવાબ
આ આખા મામલામાં કેન્દ્ર સરકારે WhatsApp પાસે જવાબ માંગ્યો છે. માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 4 નવેમ્બર સુધી WhatsAppથી પોતાનો જવાબ આપવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે આ જવાબ ત્યારે માંગ્યો છે જ્યારે વ્હોટ્સએપે કન્ફર્મ કર્યું છે કે સ્પાઇવેયર પીગાસસ ભારતમાં પણ એક્ટિવ હતું અને અહીંના લોકોની પણ જાસૂસી કરી રહ્યું હતું.
કોંગ્રેસે સાધ્યુ હતું નિશાન
ભારતીય પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી સાથે જોડાયેલા ખુલાસા બાદ કોંગ્રેસે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું અને સુપ્રીમ કોર્ટ પાસે મામલામાં દખલની માંગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પોતાના ટ્વિટમાં સુપ્રીમ કોર્ટથી આગ્રહ કર્યો છે કે તે આ મામલામાં તાત્કાલિક સ્વત: સંજ્ઞાન લે અને સરકારની જવાબદેહી નક્કી કરે. સુરજેવાલાએ દાવો કર્યો છે કે પોતાના જ નાગરિકોની સાથે ગૂનેગારોની જેમ વ્યવહાર કરનારી આ સરકાર આ દેશનું નેતૃત્વ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂકી છે.
એક ન્યૂઝ ચેનલ એનડીટીવી હવાલાથી સમાચાર મળ્યા હતા કે, Whatsappના અધિકારીઓએ તેમને જણાવ્યું છે કે આ સપ્તાહે તેમની તરફથી ઘણા ભારતીયોને કહેવામાં આવ્યું હતું કે એક ઇઝરાયેલી 'સ્પાાઇવેયર' વોટ્સએપ દ્વારા તેમની જાસૂસી કરી છે. તેમા ભારતીય પત્રકાર, એક્ટિવિસ્ટ સામેલ છે. તેમની જાસૂસી મે માસમાં કરવામાં આવી છે.
Govt is committed to protecting privacy of all Indian citizens.Govt agencies have a well established protocol for interception, which includes sanction and supervision from highly ranked officials in central & state governments, for clear stated reasons in national interest. 2/4 pic.twitter.com/atiSqXl9Wf
મંગળવારે જ Whatsappની પેરેન્ટ કંપની ફેસબુકની તરફથી ઇઝરાયલની સાયબર સિક્યોરિટી કંપની NSO પર આરોપ લાગવતા કેસ દાખલ કર્યો છે, કે તેણે Whatsappના સર્વરનો ઉપયોગ કરીને 1400 વોટ્સએપ યૂઝરોને આ માલવેયર ફેલાવ્યો છે જેના દ્વારા તેણે જાસૂસી કરી છે.
તેમાં 20 દેશોના પત્રકાર, સરકારના ઉચ્ચધિકારી, માનવાધિકાર એક્ટિવિસ્ટ સામેલ છે. ભારતમાં WION ટીવીના પત્રકાર સિદ્ધાંત સિબ્બલે ટ્વીટ કરી બતાવ્યું છે કે તેમનો પણ વોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. એમણે કહ્યું કે ટેક્નિકલી અને કાનૂની પગલા ઉઠાવવામાં આવ્યા છે.
Whatsappના અધિકારીએ આપ્યુ નિવેદન
Whatsappના એક અધિકારીએ કહ્યું છે કે, NSO કંપની ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી Peagasus સિસ્ટમ દ્વારા કરી રહી હતી. સાથે જ, Whatsappએ એક ડઝનથી વધારે વકીલ, પ્રોફેસર, દલિત કાર્યકર્તા અને પત્રકારોને આ વિશે સાવચેત કર્યા છે. જ્યારે યૂઝર્સની ડિવાઇસીઝને મે મહીનામાં સર્વિલાન્સમાં લેવામાં આવી હતી.
NSO પર લાગ્યો ગંભીર આરોપ
Whatsappએ કહ્યું કે ઇઝરાયલી કંપની NSOએ ફેસબુકના સ્વામિત્વ વાળી મેસેજિંગ પ્લેટફોર્મ સર્વિસના માધ્યમથી પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી કરી છે. સાથે જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsappએ ઇઝરાયલી કંપની વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. નોંધનીય છે કે NSO પર લગભગ 1400 યૂઝર્સનો ખાનગી ડાટા ચોરવાનો આરોપ છે.
NSOએ આરોપને ફગાવ્યા
NSOએ Whatsappના લગાવેલ આરોપોનું ખંડન કર્યું છે. Whatsapp ના મુખ્ય અધિકારી કેથકાર્ટએ કહ્યું છે કે આમ તો NSO કંપની સરકાર માટે કામ કરે છે. પરંતુ અમે અમારી રિસર્ચમાં જાણ્યું છે કે 100થી વધારે યૂઝર્સ કંપનીના નિશાના પર હતા.