લૉકડાઉન 4.0માં છૂટ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અધિકાર જરૂર આપ્યા છે, પરંતુ રાજ્ય સરકાર એક મર્યાદામાં રહીને જ નિર્ણય લઇ શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને આ વિશે લખ્યું છે કે લૉકડાઉનમાં રાહત જરૂર અપાઇ છે, પરંતુ રાજ્ય સરકાર ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સને બાજુએ રાખતા પ્રતિબંધોને ઓછા કરી શકશે નહીં.
કેન્દ્ર સરકારે કહ્યું લૉકડાઉન 4.0માં રાજ્ય સરકાર એક મર્યાદામાં રહીને જ છૂટ આપી શકશે
રાજ્ય સરકાર ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ મુજબ પ્રતિબંધોને ઓછા કરી શકશે નહીં
કેન્દ્ર સરકારે રવિવારે 31 મે સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીના નિવેદન મુજબ, લૉકડાઉન 4.0 નવા નિયમો વાળુ છે. લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારોને કેવા પ્રકારે છૂટ આપી શકાય તેની સ્વતંત્રતા આપી છે. રાજ્ય સરકારો પોતાની રીતે દુકાનો ખોલવાથી લઇને અન્ય ગતિવિધિઓ પર નિર્ણય લઈ શકે છે. પરંતુ રાજ્ય સરકારો આ નિર્ણયોની સાથે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ જે પ્રતિબંધો લગાવ્યા છે તેને ઘટાડી શકશે નહીં.
હવે આ મામલે ગૃહ સચિવે રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે લૉકડાઉન પ્રતિબંધોમાં વ્યાપક છૂટ મળવા છતા, રાજ્યો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ લગાવેલા પ્રતિબંધોને ઘટાડી શકશે નહીં. આ ઉપરાંત જો રાજ્ય ઇચ્છે તો અન્ય ગતિવિધિઓ પર રોક લગાવી શકે છે. પરંતુ પ્રતિબંધો ઘટાડી શકશે નહીં.
નોંધનીય છે કે લૉકડાઉન 4.0 ની જાહેરાત કરતા કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે કોરોના સંક્રમણના સંકટને જોતા તે ઝોન નક્કી કરે. દુકાનો કેવી રીતે ચાલુ કરાશે અને આંતરરાષ્ટ્રીય પરિવહન કેવી રીતે ચાલુ કરાશે તેનો નિર્ણય રાજ્ય સરકારોને જ લેવાનો છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સિનેમા હોલ, મોલ, ધાર્મિક કાર્યક્રમોથી લઇને સ્કૂલ-કોલેજ અને રાજકીય આયોજનો સહિત તમામ પ્રતિબંધો લગાવ્યા છે, તેમા રાજ્ય સરકારો છૂટ આપી શકશે નહીં.