કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જે પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
કોવિડ પર નવી ગાઈડલાઈન્સ
ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન
1 એપ્રિલથી 31 એપ્રિલ સુધી અમલી
RT-PCR ટેસ્ટિંગ વધારવાનો નિર્દેશ
1 એપ્રિલથી 31 એપ્રિલ સુધીની ગાઇડલાઇન રહેશે લાગૂ
ભારતમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે ભારત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. ઘણા બધા રાજ્યોમાં કોરોનાના કારણે પ્રતિબંધો લાગી રહ્યા છે ત્યાં એપ્રિલ મહિના માટે ગૃહમંત્રાલય દ્વારા નવી ગાઈડલાઇન આપી દેવામાં આઈ છે.
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ પ્રોટોકોલના પાલનનો નિર્દેશ
આ ગાઈડલાઇનમાં મુખ્યત્વે રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટનીર રણનીતિ પર કામ કરવઆ માટે જોર આપવામાં આવ્યું છે. સાથે જ રસીકરણ અભિયાનમાં પણ ફોકસ આપવા માટે કહેવામાં આવ્યું છે. જે રાજ્યોમાં ટેસ્ટિંગ ઓછી થઈ રહી છે ત્યાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા કેસ સામે આવે તે બાદ યોગ્ય સમય પર તેનો ઈલાજ થાય તેના પર ખાસ નજર રાખવાની જરૂર છે. કોન્ટેક્ટ ટ્રેસિંગના માધ્યમથી સંપર્કમાં આવેલા બધા જ લોકોને ક્વોરોન્ટાઇન કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
અવર-જવર પર કોઈ પ્રતિબંધ નહીં
આ સિવાય કન્ટેનમેન્ટ ઝોનની જાણકારી કલેકટરે વેબસાઇટ પર નાંખવાની રહેશે તથા તેની યાદી પણ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયને આપવાની રહેશે. આ સાથે જ તે પણ સ્પષ્ટતા કરવાં આવી છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં આવવા જવા પર કોઈ જ પ્રતિબંધ નહીં લાગે. અને કોરોના વાયરસના નિયમોનો ભંગ કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
રાજ્યોને રસીકરણ પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ
જે રાજ્યોમાં કોરોના વાયરસની વેક્સિન આપવાની રફતાર ધીમી છે તે રાજ્યો સામે ગાઈડલાઇનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે કે વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવે કારણ કે કોરોનાની ચેન તોડવા માટે તે ખૂબ જરૂરી છે.
Home Secretary Ajay Bhalla to all Chief Secretaries: States/UTs to take all necessary measures to promote COVID19 appropriate behaviour in workplaces & in public, especially in crowded places. It is of utmost importance to follow the test-track-treat protocol pic.twitter.com/3Ru774dIGz