ભારત સરકાર કોરોના વાયરસ લૉકડાઉનના કારણે બીજા દેશોમાં ફસાયેલા 14,800 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે 7 થી 13 મે સુધી 64 ઉડાનો સંચાલિત કરવાની તૈયારીમાં છે.
ગૃહ મંત્રાલયે મંગળવારે ગાઇડલાયન્સ જારી કરી દીધી છે
ગૃહ મંત્રાલયે મંગળવારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા વતન લાવવા માટેની ગાઇડલાયન જારી કરી દીધી છે. એમાં કહેવામાં આવ્યું છે કે વિદેશમાં ફસાયેલા તમામ ભારતીયોને ભારત આવવા માટે પોતાની ફ્લાઇટ ટિકીટ જાતે ખર્ચ કરવી પડશે. એની સાથે જ તમામ માટે આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવી ફરજિયાત છે.
ગૃહ મંત્રાલય તરફથી જારી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોની પાસે દેશ પરત ફરવા માટે ફ્લાઇટ ઑપરેશન શરૂ થયા બાદ 30 દિવસની સમય મર્યાદા હશે કે એ ટિકીટ લઇ શકે. આ સમયસીમમાં એ વીઝા સંબંધિત તમામ ઔપચારિકતા પૂરી કરે અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રોટોકૉલ પૂરા કરી શકે. ત્યારબાદ એ ભારત પરત ફરી શકશે.
ગાઇડલાયન્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારની પાસે તમામ રજિસ્ટ્રેશન થવું ફરજિયાત થશે. આવનાર અને જનાર યાત્રીઓને પોતાના સ્વાસ્થ્યની સમગ્ર જાણકારી આપવી પડશે. દરેક પ્રદેશ પોતાને ત્યાં એના માટે નોડલ અધિકારી નિયુક્ત કરે. જો એ લોકો ભારત આવે છે તો એમને 14 દિવસ ક્વોરોન્ટાઇનમાં રહેવું પડશે અને ભારતથી બહાર જાય છે તો ત્યારે પણ એમને ક્વોરન્ટીન રહેવું પડશે. યાત્રાનો ખર્ચ એવા યાત્રીઓને ખુદે કરવો પડશે.
જણાવી દઇએ કે ભારત સરકાર કોરોના વાયરસ લૉકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા 14000 ભારતીય નાગરિકોને સ્વેદશ લાવવા માટે 7 મે થી 13 મે સુધી 64 ઉડાનો સંચાલિત કરવાની તૈયારીમાં છે. સંયુક્ત અરબ અમીરાત, બ્રિટેન, અમેરિકા, કતર, સાઉદી અરબ, સિંગાપુર, મલેશિયા, ફિલીપીન્સ, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત અને ઓમાનથી ભારતીયોને પાછી લઇને આવશે.
એમને કે આશરે 2 લાખ ભારતીયોને પાછા લાવવાનું અભિયાન શરૂ થશે. અન્ય વિભાગો અને રાજ્યોને સામેલ થવા પર એમની સંખ્યા વધી પણ શકે છે.