પશ્ચિમ બંગાળમાં રાજનીતિક સંઘર્ષ વચ્ચે ખૂની હિંસાને લઇ વધતી ઘટનાઓ પર કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે મમતા સરકારને પૂછ્યું કે, તેઓએ બંગાળમાં વધતી હિંસા પર લગામ લગાવવા માટે શું પગલાં ભર્યા છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને એડ્વાઇઝરી પણ રજૂ કરેલ છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને રજૂ કરેલ એક સલાહમાં કહ્યું કે, છેલ્લાં કેટલાંય વર્ષોમાં બેરોકટોકમાં રજૂ કરેલ હિંસા એ ખૂબ ચિંતાનો વિષય છે.
પશ્ચિમ બંગાળમાં રાજનીતિક સંઘર્ષ વચ્ચે ખૂની હિંસાને લઇ વધતી ઘટનાઓ પર કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે મમતા સરકારને પૂછ્યું કે, તેઓએ બંગાળમાં વધતી હિંસા પર લગામ લગાવવા માટે શું પગલાં ભર્યા છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને એડ્વાઇઝરી પણ રજૂ કરેલ છે.
MHA Sources: Pointing out the growing number of incidents of election related&political violence&casualties over 4 years from 2016 to 2019,Ministry of Home Affairs in an advisory issued to state govt said,"unabated violence over the years is evidently a matter of deep concern.” https://t.co/WWKkSZ6IDc
ગૃહ મંત્રાલયનાં સૂત્રો અનુસાર વર્ષ 2016થી 2019 સુધી ચૂંટણીથી સંબંધિત અને રાજનીતિક હિંસાની વધતી ઘટનાઓ અને તેમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા તરફ ઇશારો કરતા કહ્યું કે, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને રજૂ કરેલ એક સલાહમાં કહ્યું કે, છેલ્લાં કેટલાંય વર્ષોમાં બેરોકટોકમાં રજૂ કરેલ હિંસા એ ખૂબ ચિંતાનો વિષય છે.
તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં હિંસા મામલે શુક્રવારની રાત્રીએ મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં બે કાર્યકર્તાઓનું એક બોમ્બ બ્લાસ્ટમાં મોત થઇ ગયું છે. આઠ જૂનનાં રોજ બશીરહાટ હિંસામાં ચાર લોકોની હત્યા બાદ રવિવાર અને સોમવારનાં રોજ ભાજપ અને આરએસએસનાં બે કાર્યકર્તાઓનાં શવ ઝાડ સાથે લટકાયેલા મળ્યા હતાં.
ટીએમસી કાર્યકર્તા ખૈરૂદ્દીન શેખ અને સોહેલ રાણા અને એક અન્ય કાર્યકર્તાઓનું મોત થયાં હતાં. આ અગાઉ લોકસભા ચૂંટણી પહેલા ઢોમકોલ પંચાયત પંચાયત સમિતિના અલ્તાફ હુસેનની પણ હત્યા કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મુખ્ય આરોપીને થોડા દિવસ બાદ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવું રહ્યું હતું કે સોહેલ રાણા અલ્તાફ હુસૈનનો દીકરો છે અને ખૈરૂદ્દીન શેખ તેનો મોટો ભાઇ છે. આ હત્યા બાદ વિસ્તારમાં પોલીસકની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી. કાર્યકર્તાઓનાં મોત પાછળ ટીએમસીએ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે.
બીજી બાજુ સોમવારની રાત્રીએ ઉત્તર 24 પરગનાનાં કાંકીનારા વિસ્તારમાં થયેલ બોમ્બ બ્લાસ્ટથી લોકો ભયમાં છે. આ બોમ્બ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયાં જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થયાં. મરનારા ટીએમસીનાં કાર્યકર્તા ગણવામાં આવી રહ્યાં છે. બંગાળમાં શનિવારથી લઇને શુક્રવાર સુધી કુલ 10 લોકોની હત્યા થઇ છે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.
સ્થાનીય લોકોનું કહેવું એમ છે કે સોમવારનાં કેટલાંક અજાણ્યાં શખ્સોએ દેશી બોમ્બ બ્લાસ્ટ કર્યા કે જેમાં જાનમાલને નુકસાન થયું હતું. બોમ્બ બ્લાસ્ટ બાદ લોકો ભયમાં છે. વિસ્તારમાં કેટલાંક ઘરોમાં તો લૂંટ થઇ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. લોકોએ પ્રશાસન પાસે મદદ પણ માંગી છે.