પ.બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરીથી ટકરાવના એંધાણ છે, જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં કેન્દ્રએ 3 અધિકારીઓ મામલે મોટી કાર્યવાહી કરી છે
જેપી નડ્ડાના કાફલા પર હુમલા સંદર્ભમાં કડક કેન્દ્ર સરકારે
કેન્દ્રએ બંગાળ સરકારને 3 અધિકારીઓને તાત્કાલિક કાર્યમુક્ત કરવા આદેશ આપ્યા
મમતા બેનર્જીએ કહ્યું કે આ તો સંપૂર્ણપણે અસ્વીકાર્ય
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને આજે ત્રણ IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જોકે સરકારના આ નિર્ણયથી મમતા બેનર્જી લાલચોળ થઇ ગયા છે.
ગૃહમંત્રાલય એક્શનમાં
ગૃહમંત્રાલયે પ.બંગાળ સરકારને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે ત્રણ અધિકારીઓને તાત્કાલિક રૂપે કાર્ય મુક્ત કરવા કહ્યું છે. ત્રણ અધિકારીઓને કેન્દ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે અને ગૃહમંત્રાલયે IPSના કેડર રૂલ 6(1) હેઠળ કાર્યવાહી કરી છે અને એવામાં હવે બંગાળ સરકાર અને કેન્દ્ર વચ્ચે ટકરાવ વધે તેવા એંધાણ છે.
રાજ્ય સરકારને આપી દીધી ચેતવણી
ગૃહમંત્રાલયે જે ત્રણ અધિકારીઓને કેન્દ્રમાં મોકલવા આદેશ કર્યા છે તે મુદ્દે પત્ર લખ્યો છે અને મમતાએ આ અધિકારીઓને કેન્દ્રમાં મોકલવાથી ઇનકાર કરી દીધો છે. રાજ્ય સરકારને આપવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય અધિકારીઓને તાત્કાલિક રૂપે કાર્યમુક્ત કરી દેવામાં આવે. કેન્દ્રએ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો રાજ્ય આ અધિકારીઓને કાર્યમુક્ત નહીં કરે તો તે DoPTના કલોઝ 1) Aનું ઉલ્લંઘન થશે.
મમતા લાલચોળ
કેન્દ્રના આ પગલાંથી લાલઘૂમ થયેલા મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્યના વાંધા છતાં 3 અધિકારીઓને કેન્દ્રમાં નિયુક્ત કરીને IPS કેડર નિયમ 1954ના ઈમરજન્સી જોગવાઈના કાયદાનો દુરુપયોગ કર્યો છે. તેને કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યના અધિકાર ક્ષેત્ર પર દબાણ કરી રહ્યું છે અને આ બધું ગેરકાયદેસર અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
GoI’s order of central deputation for the 3 serving IPS officers of West Bengal despite the State’s objection is a colourable exercise of power and blatant misuse of emergency provision of IPS Cadre Rule 1954. (1/3)
નોંધનીય છે કે જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલામાં તેમની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે અને ગૃહમંત્રાલયે ત્રણેય અધિકારીઓને દિલ્હી બોલાવ્યા હતા પણ રાજ્ય સરકારે નાં પાડી દીધી હતી જે બાદ કેન્દ્રએ નવા પગલાં લીધા છે.