રાજ્ય સરકારના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ શહેરમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર અને પૂર્વ-પશ્ચિમ કોરિડોર હેઠળ આશરે ૪૦ કિ.મી.ની લંબાઇનો પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જે પૈકી પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં આશરે ૬.પ કિ.મી. લંબાઇનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે પાઈલટ પ્રોજેકટ ચાલુ કરાયો છે.
25 કિ.મી.નો સ્પીડમાં વધારો કરી તેને 80 કિ.મી.ની ઝડપે દોડાવાશે
જોકે આ ટ્રેક પર દોડતી મેટ્રો રેલવેની ઝડપ ઓછી હોય પેસેન્જર્સમાં ખાસ લોકપ્રિય બન્યો નથી. પરંતુ હવે સત્તાવાળાઓએ 80 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ફક્ત 10 મિનિટમાં પેસેન્જર્સ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક જઇ શકશે.
25 કિ.મી.નો સ્પીડમાં વધારો કરી તેને 80 કિ.મી.ની ઝડપે દોડાવાશે
ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન લિ. દ્વારા તાજેતરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે પ્રતિ કલાકે 80 કિ.મી.ની ઝડપે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન લેવાયો હતો. હવે આ મહિનાના અંત સુધીમાં હાલની પ્રતિ કલાકે 25 કિ.મી.નો સ્પીડમાં વધારો કરી તેને 80 કિ.મી.ની ઝડપે દોડાવાશે.
આ જ મહિને શરૂ થઈ જશે ટ્રેન
જાણકાર સૂત્રો વધુમાં કહે છે અત્યારે પેસેન્જર્સ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીનું અંતર મેટ્રો ટ્રેનથી રપ મિનિટમાં કાપે છે જે આ મહિનાના અંતે ફક્ત 10 મિનિટમાં કાપી શકશે. સામાન્ય દિવસોમાં રોજના 200 પેસેન્જર્સ મેટ્રો ટ્રેનની મુસાફરી કરે છે. જ્યારે શનિ-રવિમાં પેસેન્જર્સ સંખ્યા 1500 થાય છે. અત્યારે ચાર સ્ટેશન કાર્યરત છે. પરંતુ ફેબ્રુઆરી સુધીમાં વસ્ત્રાલ અને રબારી કોલોનીનું સ્ટેશન પણ કાર્યરત થઇ જશે.
સેકન્ડ ફેઝમાં 24 સ્ટેશન હશે
મેટ્રો રેલવેના સેકન્ડ ફેઝની મંજૂરી મળી ગઇ હોય ટૂંક સમયમાં તેના ટેન્ડર બહાર પડાશે અને જૂન-ર૦ર૦થી તેની કામગીરી શરૂ કરી માર્ચ ર૦ર૪ સુધીમાં સેકન્ડ ફેઝને પૂરો કરાશે. સેકન્ડ ફેઝ માટે રૂા. 5384.79 કરોડ ખર્ચાશે. અને 28.26 કિ.મી. લાંબા સેકન્ડ ફેઝમાં કુલ 24 સ્ટેશન હશે તેમ જાણવા મળ્યું છે.