30 સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રારંભ થશે. ત્યારે મેટ્રો ટ્રેન વિભાગ દ્વારા રોડ રિપેરીંગની તૈયારી દર્શાવાઈ છે.
અમદાવાદ મેટ્રો ટ્રેન રૂટના રોડ બિસ્માર હાલતમાં
મેટ્રો ટ્રેન વિભાગ જ કરશે રોડનું રિપેરીંગ
AMC અને મેટ્રો ટ્રેન વિભાગ વચ્ચે સંકલનનો હતો અભાવ
અમદાવાદ માં 30 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે હવે મેટ્રો તંત્ર દ્વારા રોડ રીપેર કરવા અંગે તૈયારી દર્શાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી હવે મેટ્રો રૂટના રોડ રસ્તા રીપેર કરવા તંત્ર દ્વારા કવાયાત હાથ ધરવામાં આવી છે. જોકે છેલ્લા ઘણા સમયથી મેટ્રો વિભાગ આ રોડ રસ્તા રીપેર કરવા બહાના કાઢતું જેના પરિણામે લોકો પરેશાની ભોગવતા હતા. અમદાવાદ મનપા અને મેટ્રોના સંકલનના અભાવને કારણે પ્રજાને હાલાકી પડી રહી છે પરંતુ હવે પી. એમના આગમનને લઇ મેટ્રો હરકતમાં આવ્યું છે અને મેટ્રો રૂટના રોડ રીપેર કરવા બાંહેધરી આપવામાં આવી છે.
શેલામાં રોડની બિસ્માર હાલત
આમ તો અમદાવાદને સ્માર્ટસિટી કહેવામાં આવે છે.પણ હાલ તો અમદાવાદ શહેરના અમુક માર્ગો ગામડાને પણ વખણાવે તેવા છે. શહેરના માર્ગો પર મસમોટા ખાડા પડ્યા છે. સાથે જ ડામરમાંથી છૂટ થયેલી કપચીના કારણે એવી ધૂળ ઉડે છે કે જાણે કોઈ વ્યક્તિ મજૂરી કરીને ઘરે પરત ફર્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે. શેલા વિસ્તારમાં આવેલ રોડ જે સ્કાય સિટીથી એપલ વુડ તરફ જાય છે. જે ખખડધજ બનતા વાહન ચાલકોને ભારે પરેશાની થયા છે. વળી ચોમાસામાં અહીં પાણી ભરાવાને કારણે પણ લોકોને સમસ્યાનો કોઇ પાર નથી.
સ્માર્ટસિટી નહીં આ છે ખાડાસિટી
રસ્તાઓ પર ખાડા, કપચી અને પથ્થરના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તંત્ર વાહનચાલકોની મુશ્કેલી ક્યારે સમજશે? તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. AC ચેમ્બરમાં બેસીને શહેરીજનોની સ્થિતિ જાણવી મુશ્કેલ છે. બીજી બાજુ ફિલ્ડ વર્ક કરવાની આળશું અધિકારીઑ પાસે ફુરસદ નથી. જેને લઇને રોડની સમસ્યા ઉકેલાતી નથી.