મેટ્રો રેલ કૌભાંડ મામલે ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તા પર EDએ સકંજો કસ્યો છે. મેટ્રો ટ્રેન કૌભાંડમાં EDએ તેમની સંપત્તિ ટાંચમાં લીધી છે. IAS સંજય ગુપ્તાની 14 કરોડ 15 લાખની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. નીશા ગ્રુપમાં રોકાણ કરાયેલી આ સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ - હોટેલ પણ ટાંચમાં લેવામાં આવી છે. તેમનો નોયડા ખાતેનો ફ્લેટ પણ સીલ કરવામાં આવ્યો છે.
EDએ ફરી વખત મેટ્રો રેલનાં કૌભાંડ મામલે ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તા પર મોટી કાર્યવાહી કરી છે. સંજય ગુપ્તાની નિશા ગ્રૃપની કુલ 14 કરોડ 15 લાખની સંપત્તિ EDએ ટાંચમાં લીધી છે. જેમાં નોઈડાનો ફ્લેટ સહિત ગુજરાતના પ્લોટ અને હોટેલનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ EDએ સંજય ગુપ્તાની 36 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી.
મેટ્રો રેલનાં કૌભાંડી સંજય ગુપ્તા પર EDનો ગાળિયો કસાતો જઈ રહ્યો છે. EDએ મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA)ની કંપનીના ફંડમાં કથિત ગેરરીતિ આચરવા મામલે આ કાર્યવાહી કરી છે.