પાંચ મહિલા પત્રકારોએ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે. અકબર પર યૌન શોષણના લગાવેલા આરોપ બાદ રાજકારણ ગમાયુ છે. અકબરે પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવ્યા છે.
અકબરે આરોપ લગાવનાર મહિલાઓ વિરૂદ્ધ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પાંચેય મહિલા પત્રકારોએ પણ વળતી લડત આપવાનો નિર્ધાર કર્યો છે.
કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે. અકબરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમા મહિલા પત્રકાર વિરૂદ્ધ દબનામીનો ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે.
અકબર પોતાના વકીલ કરજનવાલા દ્વારા આ કેસ પત્રકાર પ્રિયા રમાણી વિરૂદ્ધ કેસ કર્યો છે. અકબર પર 10 જેટલી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જેથી અકબરની ખુરશી પણ ડગમગી શકે છે.
મળતી માહિતી પ્રમાણે અકબરે આપેલી પ્રતિક્રિયા બાદ ભાજપ અકબર પાસેથી નૈતિકતાના આધારે રાજીનામું માગી શકે છે. વિદેશ પ્રવાસથી ભારત આવ્યા બાદ અકબરની ખુરશી ખતરામાં આવી છે.
ભાજપનું માનવુ છે કે અકબર રાજીનામું આપશે તો પાર્ટીની છબીને મોટુ નુકસાન થઈ શકે છે. મહત્વનું છે કે અકબર પર 10 જેટલી મહિલાઓએ મી ટૂ અભિયાન હેઠળ યૌન શોષણના આરોપ લગાવ્યો છે.