મી ટૂ કેમ્પેઈનમાં ફસાયેલા એમ.જે.અકબરે કોર્ટમાં લડવા તૈયારી બતાવી. જે અંતર્ગત આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. પરંતુ કોર્ટે આ મામલે આગામી 31મી ઓક્ટોબરના રોજ એમ.જે.અકબરનું નિવેદન લેવાનો આદેશ આપ્યો છે.
હાલ આ લડાઈ કોર્ટમાં પહોંચી છે. આ એવો પહેલો કિસ્સો છે કે જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. જે અંતર્ગત હવે એમ.જે.અકબરનું આગામી 31મી ઓક્ટોબરના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં તેમનું નિવેદન રેકોર્ડ કરાશે.
સુનાવણી દરમિયાન ગીતા લૂથરાએ એમ.જે.અકબરનો પક્ષ રાખ્યો અને કહ્યું કે પ્રિયા રમાનીના ટ્વીટ અને રિટ્વીટથી એમ.જે.અકબરની પ્રતિષ્ઠા પર ડાગ લાગ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્વીટ આવ્યા બાદ બારસોથી પણ વધુ લાઈક મળ્યા છે. કારણ કે એમ.જે.અકબરને રાજીનામુ આપવુ પડ્યુ છે. મામલો વીસ વર્ષ પછી સામે આવ્યા છે અને તે બાદ એમ.જે.અકબરે રાજીનામુ આપ્યુ છે.