મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મી ટૂ કેમ્પેઈન પર પોતાનું નિવેદન આપ્યું. મનસેના પ્રમુખ રાજ ઠકારેએ કહ્યું કે એવું લાગે છે કે દેશના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટેનો આ પ્રયાસ છે.
દેશમાં પેટ્રોલમાં મોંઘવારી રૂપિયામાં કડાકો અને બેરોજગારી જેવા મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
જો કોઈ મહિલાની સાથે મી ટૂ થાય છે તો તેઓ મનસે પાસે આવે. અમે આરોપીઓને સારો શબક શીખવાડીશું. રાજ ઠાકરેએ આગળ કહ્યું કે અત્યાર સામે મહિલાઓએ અવાજ ઉઠાવવો જોઈએ પણ 10 વર્ષ પછી નહીં.
હું નાના પાટેકરને ઓળખુ છું. તેઓ બેવકૂફીવાળુ કામ કરી શકે છે પણ મને નથી લાગતુ કે તેઓ છેડછાડ કરે. જો કે કોર્ટ આ મુદ્દે નિર્ણય કરશે.