ઉપાય / જ્યારે સમય મળે આ 1 કામ કરશો તો વાળ ખરતાં બંધ થઈ જશે, બાબા રામદેવે જણાવ્યો છે આ સચોટ ઉપાય

Method and benefits of balayam yoga by baba ramdev

વાળ ખરવાની સમસ્યા આજકાલ બધાંને થવા લાગી છે. તેને રોકવા માટે લોકો શું-શું કરતા હોય છે. ઘણાં લોકો વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે બંને હાથના નખ ઘસતા હોય છે. પણ શું ખરેખર આ ઉપાય કારગર છે? બંને હાથના નખને એકબીજા સાથે ઘસવાની પ્રક્રિયા બાલાયામ યોગ (Balayam Yoga) કહે છે. રોજ 5-10 મિનિટ આને કરવાથી ખરી ગયેલાં વાળ ફરી ઊગે છે અને વાળ સંબંધી સમસ્યા ઓછી દૂર થાય છે. સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. વાળ ખરવાની સમસ્યાથી પીડાતા હોવ તો એક્યુપ્રેશર આધારિત 'બાલાયામ' યોગ તમને મદદ કરી શકે છે. આનો નિયમિત અભ્યાસ ખરતા વાળ, જલ્દી વાળ સફેદ થવા તથા ખોડો વગેરે જેવી સમસ્યાથી છૂટકારો આપી શકે છે. આના વિશે બાબા રામદેવે ઘણાં યોગ શિબિરમાં જણાવ્યું છે. તો ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ