મેથીના દાણા દરેક ઘરની રસોઈમાં મળી રહે છે. મેથીના દાણાની મદદથી વાળનો ગ્રોથ વધે છે અને સાથે જ ડેન્ડ્રફ અને સ્કલ્પ ઈન્ફેક્શન પણ ઘટે છે. મેથીના દાણા વાળને માટે વરદાન સમાન છે. પરંતુ જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો જ તેનો ફાયદો મળે છે.
મેથીના દાણા કરશે વાળની કેર
યોગ્ય રીતે ઉપયોગ કરવાથી વધે છે વાળનો ગ્રોથ
ડેન્ડ્રફ અને સ્કલ્પ ઈન્ફેક્શનમાં રાહત આપે છે મેથી દાણાનો પ્રયોગ
મેથીના દાણા સ્કલ્પના બેક્ટેરિયા અને ફંગલનો નાશ કરે છે. વાળના મૂળને મજબૂત કરે છે. વાળના ગ્રોથને વધારે છે. જે લોકોને વાળ ઉતરવાની સમસ્યા રહે છે તેઓએ મેથીના દાણાનો ઉપાય કરવો જોઈએ. તે લાભદાયી રહે છે. જો તમે પણ વાળની અનેક સમસ્યાથી હેરાન છો તો તમે આ રીતે મેથીના દાણાનો પ્રયોગ કરી શકો છો.
મેથીમાં હોય છે આ પોષક તત્વો
મેથીના દાણાને વાળને ખરતા અટકાવવા માટે વરદાનરૂપ ગણવામાં આવે છે. મેથીના દાણા ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન સીથી ભરપૂર હોય છે. પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા મિનરલ્સથી ભરપૂર છે મેથીના દાણા. તે વાળને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. વાળના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો મેથીના દાણાનો પ્રયોગ
એક ચમચી મેથીના દાણાને ઉકાળો અને આખી રાત નારિયેળ તેલમાં પલાળીને રાખો. વાળને ખરતા રોકવા માટે રોજ સવારે આ તેલથી સ્કલ્પની માલિશ કરો.
એક કપ પાણીમાં 3 મોટા ચમચા મેથીના દાણાને છ કલાક સુધી પલાળીને રાખો. આ દાણાને થોડા પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેમાં 3 મોટી ચમચી શિકાકાઈ મિક્સ કરો અને ઘસો, અડધો કલાક રહેવા દો અને પછી શેમ્પૂ કરી લો. વાળના વિકાસ માટે અઠવાડિયે 1 વાર આવું કરો.
આખી રાત પાણીમાં 2 મોટી ચમચી મેથીના દાણાને પલાળીને રાખો અને અન્ય દિવસે સવારે એક પેસ્ટ બનાવો. તેને સ્કેલ્પ પર લગાવો અને અડધો કલાક પછી વાળને પાણી કે શિકાકાઈથી ધોઈ લો. તે તમારા ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરશે.