પહેલાના સમયમાં રસોઈમાં રહેતા મેથીના દાણાનો ઉપયોગ શરીરની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવતો હતો. આયુર્વેદમાં પણ તેનું અનેક ગણું મહત્વ છે. મેથીમાં ફોલિક એસિડ હોય છે જે હેલ્થ માટે ઉપયોગી છે. આ સિવાય તેમાં વિટામીન એ, સી અને અનેક પોષક તત્વો છે. મેથીના ઉપયોગથી તૂટતા વાળની સમસ્યા ઓછી થાય છે અને સાથે તે વધતી ઉંમરના લક્ષણોને દૂર કરવામાં પણ પ્રભાવી છે. મેથીના દાણા ત્વચા અને વાળ માટે લાભદાયી છે.
રસોઈની મેથીના છે અનેક ઉપયોગ
સ્કીન અને હેર પ્રોબ્લેમ્સમાં છે લાભદાયી
અઠવાડિયામાં 1 વાર આ રીતે કરો ઉપયોગ
ડાર્ક સર્કલ્સ હટાવે
મેથીના દાણામાં વિટામીન સી અને વિટામીન કે હોય છે. જે ડાર્ક સર્કલ્સને દૂર કરે છે. 2 ચમચી મેથીના દાણા પલાળીને દૂધમાં પીસીને આંખો નીચે લગાવો. સૂકાઈ જાય ત્યારે સાદા પાણીથી મોઢું ધોઈ લો. લાભ થશે.
ખીલ થશે દૂર
મેથીના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાને મોશ્ચરાઈઝ્ડ કરે છે અને ડ્રાઈનેસ ઓછી કરવામાં મદદ કરે છે. ખીલ દૂર કરવા માટે મેથીના દાણાને પાણીમાં ઉકાળીને ઠંડું કરો. આ પેસ્ટનો ઉપયોગ ટોનરના રૂપમાં કરો. ખીલ ઝડપથી દૂર થશે.
વાળને સફેદ થતા અટકાવે
મેથીના બીજમાં અનેક પોષક તત્વો હોય છે.તે વાળને સફેદ થતાં અટકાવવામાં મદદ કરે છે. મુઠ્ઠીભર પલાળેલી મેથીના બીજ રોજ ખાવાથી વાળ સમય પહેલાં સફેદ થતાં અટકી જશે.
વાળ તૂટતા અટકાવે
મેથીમાં વિટામીન અને ખનીજ હોય છે વાળના વિકાસમાં મદદ કરે છે. નારિયેળના તેલમાં મેથીના દાણા મિક્સ કરીને સ્કલ્પમાં લગાવો અને ન્હાતા પહેલાં ધોઈ લો. તેનાથી હેર ફોલિકલ મજબૂત બને છે અને વાળ ઓછા તૂટે છે.
ડેન્ડ્રફથી મળશે રાહત
મેથીના દાણામાં એન્ટી ફંગલ ગુણ જોવા મળે છે. તે વાળને મોશ્ચરાઈઝ કરે છે અને ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરે છે. મેથીની પેસ્ટને સ્કલ્પમાં લગાવવાથી વાળ વધે છે અને ખોડાની સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય મેથીના પાણીથી વાળને ધોવાથી ડેન્ડ્રફથી રાહત મળે છે.
કરચલીઓ કરે દૂર
મેથી અનેક પોષક તત્વોથી ભરપૂર છે. તે મુક્ત કણોનો નાશ કરે છે તેનાથી ફાઈન લાઈન અને કરચલીઓ ઘટે છે. મેથી પાઉડરને દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાઈ જાય એટલે પાણીછી ધોઈ લો. અઠવાડિયામાં 1 વાર આ ઉપાય કરવાથી વધતી ઉંમરના લક્ષણોને રોકી શકાય છે.