તળાજા અને મહુવા વચ્ચે આવેલી બગડ નદી ઉપર દરિયાઈ ખારા પાણીને અટકાવવા માટે મેથળા બંધારાની યોજના સરકારે 1985 માં જાહેર કરી હતી. પરંતુ દર ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરીને સરકાર આ કાર્યને પૂર્ણ કરતી ના હતી. ત્યારે આખરે અહીં 12 ગામના કંટાળેલ લોકો એ 2018 ના માર્ચ મહિનામાં જાત મહેનત જિંદાબાદ કરી લોકફાળો ઉઘરાવીને મેથળા બંધારાનું કામ શરુ કર્યું હતું.
મેથળા બંધારો છલકાતા ખેડૂતો થયાં ખુશ
1 વર્ષ સુધી પાણીનો કરી શકાશે સંગ્રહ
જાત મહેનત જિંદાબાદ લાવી રંગ
આજે આ વર્ષે સારો વરસાદ થતા મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળે છે. આ બંધારામાં 750 MCFT પાણીનો સંગ્રહ થતા 1 વર્ષ સુધી હવે આ વિસ્તારના લોકોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
મહુવાના ખેડૂતોની મહેનત લાવી રંગ
સરકાર પાણીના પ્રશ્ન ઉકેલવા ભલે ચિંતીતી હોઈ પરંતુ ભાવનગર જિલ્લામાં જાણે કે નબળી નેતાગીરી હોઈ કે સરકાર દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરતી હોઈ તેવું લાગી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં મેથળા બંધારા માટે આ તળાજા અને મહુવાના ખેડૂતો 25 વર્ષથી માંગ કરતા આવ્યા છે. પરંતુ સરકાર માત્ર ટેન્ડર પક્રિયામાં ગોથા ખાય છે અને બંધારો બંધાતો નથી. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ જાત મહેનતથી બંધારો બાંધીને આજે તેના મીઠાફળ ચાખવાનો વારો ખેડૂતો માટે આવ્યો છે.
13 ગામના લોકોએ બાંધ્યો બંધારો
આ મેથળા બંધારો બંધાય તો તળાજા તાલુકાના 6 અને મહુવાના 7 ગામ મળીને કુલ 13 ગામને 3000 હેક્ટરમાં સિંચાઈમાં પણ ફાયદો થાય તેમ હતો. પરંતુ સરકારે આ કામ માટે આજ સુધી ધ્યાન દીધું નથી તેમ ખેડૂતો કહી રહ્યાં છે. સરકારે અહીં બંધારો બાંધવાની બદલે એક સિમેન્ટ કંપનીને આ જગ્યા લીઝ પર આપતા હવે અહીં સિમેન્ટ કંપની જોતી નથી પરંતુ બંધારો બાંધો તેવા આયોજન સાથે લોકો એ જ બંધારો બાંધવાનું કામ શરુ કર્યું હતું.
અઢી મહિનાની મહેનત લાવી રંગ
તળાજા તાલુકાના મેથળા ગામે 2018ના જુન માસમાં ખેડૂતોએ 2.5 મહિનાની જાત મહેનત અને 50 લાખ રૂપિયા એકઠા કરીને લોકભાગીદારીથી આ મેથળા બંધારો બાંધ્યો હતો. આ વર્ષે સારા વરસાદથી મેથળા બંધારો ઓવરફ્લો થવા પામ્યો છે. જેમાં હાલ 750 એમસીએફટી પાણીનો સંગ્રહ થતા આ વિસ્તારના 13 જેટલા ગામોની 3000 હેક્ટર જમીનને જીવનદાન મળ્યું છે. 200થી વધુ ડીઝલ મશીનો દ્વારા ખેડૂતો તેમના ખેતરમાં પિયત કરી રહ્યા છે. હવે આ બંધારાના મીઠાફળથી અહીંના લોકોને હિજરત કરવા નહિ જવું પડે અને ખેડૂત બે પાંદડે થશે તેમ મેથળા બંધારો બાંધનારા ખેડૂતો અને સમિતિના આગેવાનો કરી રહ્યાં છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
તળાજા અને મહુવા પંથકના દરિયાઈ ખારા પાણીને અટકાવવા માટે મેથળા બંધારાની યોજના સરકારે આમતો વર્ષો પહેલા બનાવવા માટે 55 કરોડ ફળવાયાં હતાં. પરંતુ તે ફાઈલ અભેરાઈએ ચડી ગયા બાદ હવે 2019માં સરકારે આ યોજના માટે બજેટમાં 147 કરોડની ફાળવણી કરી છે. પરંતુ હજુ આ કામ ક્યારે સારું થાય તે નક્કી નથી. જોકે ખેડૂતોએ બનાવેલો આ બંધારો આજે ઓવરફ્લો થતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગત વર્ષે પહેલો વરસાદ મેથળા બંધારા માટે આશીર્વાદ રૂપ હતો.
પરંતુ આ બંધારો તૂટી જતા 50 ટકા પાણી દરિયામાં વહી ગયું છે. હવે આ વર્ષે તેનું રિનોવેશ નકારી નાકહત આજે 750 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. પાણી યોગીન ઉપરથી પસાર થઈ રહ્યું છે. તેની ખુશી ખેડૂતોમાં છે આ વિસ્તારમાં હવે 3000 હેકટર જમીન સજીવ થઇ છે. આ વિસ્તારમાં હવે કપાસ, બાજરી અને જુવાર જેવા પાકોમાં 1 વીઘે 25 મણનો ઉતારો વધશે તેમ ખેડૂત મળી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે ગરીબ ખેડૂતોએ જાતે બનાવેલ મેથળા બંધારામાં આવેલા પાણીનું જળ પૂજન કરવું જોઈએ કારણે કે આ ગરીબોનો સેતુ બંધાયો છે.
25 વર્ષ જૂની સમસ્યાનો આવ્યો ઉકેલ
સરકારે માઇનિંગ માટે સિમેન્ટ કંપનીની મંજૂરી આપી ત્યાં જ ગામના લોકો જાગ્યા અને ભવિષ્યમાં અહીં ખારું પાણી ભરાઈ જશેની દહેશત થતા ખુદ ખેડૂતો જ આ બંધારો બાંધવામાં જોડાયા હતા. અહીં ગામના ખેડૂતોએ પોતાના ખર્ચે જેસીબી, ટ્રેક્ટરો અને હજારો લોકના શ્રમદાન કામે લગાવીને આ કામ હાથ ધર્યું હતું. એક વાત નક્કી છે કે 25 વર્ષથી પરેશાન થતા ખેડૂતોને હવે મેથળા બંધારામાં પાણી ભરતા હવે રોજગારી માટે હિજરત નહિ કરવી પડે અને બાળકોનું શિક્ષણ પણ નહીં બગડે મેથળા બંધારો બંધાતા ખેડૂતોને લાખો રૂપિયાનો ફાયદો થયો છે.