ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તો ઉત્તરાયણ વખતે પવન કેવો રહેશે તેને લઈને પણ હવામાન વિભાગના ડેપ્યુ. ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કેટલીક ખાસ વિગતો જણાવી હતી.
અપરએર સર્ક્યુલેશનને કારણે તાપમાન વધ્યું હતું
ભેજનું પ્રમાણ વધતા ઠંડી ઓછી થઈ હતી
ઉત્તરાયણ સમયે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું હતુ કે, રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર વધશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. નલિયામાં તાપમાનનો પારો ગગડશે અને આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની પણ સંભાવના છે. દરિયાઈ વિસ્તારો કરતા ઉત્તરી વિસ્તારોમાં ઠાર પડવાની સંભવાનાઓ છે.
કેમ ઘટ્યું હતુ ઠંડીનું જોર?
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, અપરએર સરક્યુલેશનને કારણે તાપમાન વધ્યું હતુ. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતુ પરિણામે તાપમાનનો પારો ઉંચે થયો હતો. ભેજનું પ્રમાણ વધતા જ ઠંડી ઓછી થઈ હતી.
ઉત્તરાયણને લઈને શું કરી આગાહી
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ઉત્તરાણયને લઈને આગાહી કરતા જણાવ્યું હતુ કે, ઉત્તરાયણ સમયે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. ઉત્તરાયણ વખતે પવન જોરથી નહીં ફુંકાય પણ હા ઠાર પડશે જેને લીધે ઠંડીનું પ્રમાણ રહેશે.