ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં સારા વરસાદ થઈ શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં સારો વરસાદ રહેશે
કચ્છના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે
ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં સારા વરસાદ થઈ શકે છે. જોકે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સારો એવો વરસાદ પડ્યો છે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું સારું રહેશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે આ વખતે કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. જો કે રાજ્યમાં 20 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું જણાવ્યું છે.
છેલ્લા અઠવાડિયામાં ખાબક્યો સારો વરસાદ
ઉલ્લેખનિય છે કે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે લાંબા સમયબાદ બે દિવસમાં જ રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ ખાબકી ચુક્યો છે જેમાં જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અમદાવાદ અને નડિયાદમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કહ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફુંકાઈ શકે છે જેને લઈ અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.પવનની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે.સવારથી દરિયામાં 20 ઉંચા મોજા ઉછળી રહ્યાં છે તો ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ બંદર પર બોટો લંગારી દેવાઈ છે.જોકે ગઇકાલે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
રાજ્યના 118 તાલુકામાં વરસાદ
છેલ્લા 3 દિવસમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકાઓમાં 2 થી 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં લખતર, બગસરા, તારાપુર, ધંધુકા, ધોળકા, તલોદ, મહેમદાવાદ, સોજીત્રા, રાજકોટ, મહુધા, ભાણવડ પેટલાદ , આંકલા , મુંદ્રા, કુતિયાણા, સાયલા, ફતેપુર, વિજયનગર, લાલપુર, ચુડામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો