ગુજરાતમાં મેઘરાજાએ મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે
હવામાન વિભાગની ફરી વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં પડી શકે છો ધોધમાર વરસાદ
મેઘરાજા ફરી ગુજરાતમાં બોલાવશે ધડબડાટી
ગુજરાતમાં મેઘરાજાએ મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશને કારણે રાજ્યમાં વરસાદ ફરી વરસાદનું જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે તો રાજ્યમાં સારા વરસાદને કારણે હવે પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે.
આ જિલ્લાઓમાં પડી શકે છો ધોધમાર વરસાદ
વરસાદ ખેંચાતા ગુજરાતમાં પીવાના અને ખેડૂતોના સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાઈ હતી જો કે હવે વરસાદના કારણે ચેડડેમોમાં પાણીની આવક થઈ છે ડેમો ઓવરફ્લો થતા હવે પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે મહત્વનું છે કે હજુ ગુજરાતમાં 18 ટકા જેટલા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે આ ઘટ આ મહિનામાં પુરી થાય તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગની ફરી વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરી છે તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા સારા વરસાદને કારણે નદી, તળાવો અને ડેમોમાં પાણીના સારી આવક થઈ છે એકલા સૌરાષ્ટ્રમાં જ 24 કલાકમાં 13 ડેમમાં અડધાથી લઈ 3 ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે તો સૌરાષ્ટ્રના ભાદર-2, આજી-3, ન્યારી-3 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 81 માંથી 39 ડેમ છલકાઈ ગયા છે જ્યારે સૌથી મોટો ભાદર ડેમ છલકાવવામાં 1.80 ફુટ બાકી છે.
મેઘરાજા ફરી ગુજરાતમાં બોલાવશે ધડબડાટી
હવામાન વિભાગે જણાવ્યું છે કે લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે 20 થી 22 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે સવારથી મહેસાણાના ઊંઝામાં સવારથી ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આ તરફ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન હળવો થયો છે.