રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી નથી, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
આગામી 5 દિવસ વરસાદની આગાહી નહીં
માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી
ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી નહીં. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. તો આવતીકાલથી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હજુ પણ ગુજરાતમાં 8 ટકા વરસાદની ઘટ છે.
વરસાદનું આગમન ન થવાથી અનેક જિલ્લાઓમાં ઉકળાટની સ્થિતિ ઉભી થઈ છે.ઉકળાટના કારણે લોકો હેરાન જોવા મળે છે. તો વધુ 5 દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં લોકોને મુશ્કેલી ઉઠાવી પડશે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત રહેલી છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ગત રોજ સોમવારના મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવું અનુમાન છે.
રાજ્યમાં અત્યારસુધી 4.40 ઈંચ સાથે મોસમનો સરેરાશ 13.31% વરસાદ નોંધાયો. ગત વર્ષે 28 જૂન સુધી 4.86 ઈંચ સાથે સરેરાશ 14.32% વરસાદ પડયો હતો. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.