રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ વરસી શકે છે ભારે વરસાદ, 16 જુલાઇ સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસતો રહેશે વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે
4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હજુ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 16 જુલાઇ સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસતો રહેશે. અમદાવાદ, ગાંધીનગર વડોદરા અને દાહોદમાં વરસશે વરસાદ.
આ તરફ સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર અને અમરેલીમાં પણ આગામી 16 તારીખ સુધી વરસાદની આગાહી કરાઈ છે. તો ગીર સોમનાથ અને દ્વારકાના દરિયાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે. જાફરાબાદ, પોરબંદર અને દ્વારકામાં સિગ્નલ નંબર 3 લગાવાયું છે. આગાહી પ્રમાણે વરસાદની સાથે પવન પણ ફૂંકાઇ શકે છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે ખેતીમાં પાકને ઘણો ફાયદો થશે. વાવેતર બાદ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા દૂર થઇ છે. ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા. રાજ્યભરમાં શનિવારથી મેઘની મહેર થઈ રહી છે.