કેન્દ્રીય મંત્રીમંડળે DBS બેંક ઈન્ડિયા લિમિટેડ (DBIL) માં લક્ષ્મી વિલાસ બેંકના મર્જની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ATC Telecomમાં FDIને પણ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપી હતી.
લક્ષ્મી વિલાસ બેન્કના મર્જરને મળી મંજૂરી
DBS બેન્ક સાથેના મર્જરને મળી મંજૂરી
મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્રીય મંત્રીમડળે લક્ષ્મી વિલાસ બેંક ના મર્જરની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ATCમાં FDI ને પણ મંજૂરી આપવામાં આવી હતી. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) માં 6,000 કરોડ રૂપિયાના રોકાણને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી હતી. મહત્વનું છે કે, રિઝર્વ બેંકે લક્ષ્મી વિલાસ બેંક ને DBS બેંકમાં મર્જ કરવાનો આદેશ આપ્યો હતો. એટીસી ટેલિકોમ ઇન્ફ્રામાં 2480 કરોડ વિદેશી સીધા રોકાણ (FDI) ને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ATC પેસિફિક એશિયાએ ટાટા જૂથની કંપની એટીસીના 12 ટકા શેર હસ્તગત કર્યા છે.
ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઇએ
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કોઈપણ બેંક કર્મચારીઓને છૂટા કરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહ્યું કે આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકને કહેવામાં આવ્યું છે કે દોષીઓને સજા થવી જોઈએ. આ સિવાય રિઝર્વ બેંકને પણ આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે નજીકથી નજર રાખવા જણાવ્યું છે.
તેમણે માહિતી આપી કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (CCEA) અને કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે હવે મૂડી ઊભી કરવા દેવા બજારનો લાભ લેવામાં આવશે.
NIIF ને 6 હજાર કરોડ મળશે
આ હેઠળ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) ની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે નિર્ણય લીધો છે કે તેમાં 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. આ સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી કરી શકાય છે.
17 નવેમ્બરના રોજ, ભારતીય રિઝર્વ બેંકે દક્ષિણ ભારત કેન્દ્રિત લક્ષ્મી વિલાસ બેંક ને એક મહિનાના મોરેટોરિયમ પર મૂકી હતી. RBI એ બેંકને આદેશ આપ્યો હતો કે કોઈ પણ ગ્રાહક આવતા એક મહિના માટે બેંકમાંથી 25 હજાર રૂપિયાથી વધુ ઉપાડશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેંકના શેર પર જોવા મળી રહી છે.
કટોકટીની સ્થિતિમાં બેંકમાંથી રૂપિયા 5 લાખ ઉપાડી શકાશે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે આ રકમ પરત ખેંચી શકાય છે, પરંતુ આ માટે ગ્રાહકોએ પુરાવા પણ આપવા પડશે.
સ્થિતિ ત્રણ વર્ષથી કથળી હતી
છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જૂન 2020 માં બેંકની મૂડી પર્યાપ્તતાનું પ્રમાણ 0.17 ટકા પર પહોંચ્યું હતું, જ્યારે તે ઓછામાં ઓછું 9 ટકા હોવું જોઈએ. નાણાકીય વર્ષ 2020 સુધીમાં, બેંકની બાકી લોન 13,827 કરોડ અને થાપણો 21,443 કરોડ રૂપિયા હતી.