દેશની 10 સરકારી બેંકનો વિલય કરીને તેને 4 મોટી બેંકમાં બદલવા માટે સરકારનો નિર્ણય જલ્દી જ આવી શકે છે. પંજાબ નેશનલ બેંકની સાથે યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું વિલિનીકરણ થશે. કુલ 10 બેંક વિલય બાદ 4 મોટી બેંકમાં ફેરવાઈ જશે. વિલિનીકરણ બાદ ગ્રાહકોને માટે અનેક મોટા ફેરફાર આવી જશે.
10 બેંકોના વિલિનીકરણને લઈને ફેરફાર
10 બેંકને 4 મોટી બેંક સાથે કરાશે મર્જ
બેંક ખાતેદારોને માટે આવી શકે છે મોટા ફેરફાર
UPDATE:
Punjab National Bank hereby clarifies that there is no proposal to change the name of the Bank.
PNB બેંકના નામ બદલવાને લીને જે વાતો છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયા પર ચાલી રહી છે તેને લઈને પીએનબી બેંકે જાહેરાત કરી છે. બેંકે ટ્વિટ કરીને કહ્યું છે કે બેંકનું નામ બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. જો કે પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું વિલિનીકરણ થવા જઈ રહ્યું છે.
સરકારે એપ્રિલ મહિના સુધીમાં પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સહિતની 10 બેંકોને એપ્રિલ સુધીમાં વિલય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મળતી માહિતી અનુસાર બેંકોના વિલયનું ગ્રાઉન્ડ વર્ક પૂરું કરી લેવામાં આવ્યું છે. ઝડપથી જ તેને અમલમાં પણ મૂકવામાં આવશે. વિલિનીકરણને માટે બેંકનું વેલ્યુએશન હાલના વિત્ત વર્ષના પહેલા 6 મહિનાના પરિણામ અને ભવિષ્યના અનુમાનને આધારે કરવામાં આવશે.
ખાતેદારોને માટે આવી શકે છે આવા બદલાવ
જો તમારું ખાતું ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં છે અથવા તો તમે યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટ હોલ્ડર છો તો તમે જાતે જ PNB ના ખાતાધારક બની જશો. OBC અને UBIનું વિલિનીકરણ PNBમાં થયા બાદ આ ભારતની બીજા નંબરની સૌથી મોટી બેંક હશે.
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની સાથે આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય થવાનો છે. કેનેરા બેંક અને સિંડિકેટ બેંકનો પણ વિલય થશે. આ સિવાય ઈન્ડિયન બેંકમાં અલાહાબાદ બેંકનો વિલય થશે.
10 બેંકોના વિલયથી 4 નવી મોટી બેંક એપ્રિલ મહિનાથી અસ્તિત્વમાં આવશે. આ દરેક બેંકના નવા નામ અને લોગો ઝડપથી જાહેર કરવામાં આવી શકે છે. પીએનબીમાં ઓબીસી અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના વિલયના બાદ કર્મચારીઓની કુલ સંખ્યા 1 લાખને પાર થઈ રહી છે.
જો તમારી પાસે વિલય થનારી બેંકોના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે તો તમે તેનો ઉપયોગ પહેલાંની જેમ જ કરી શકો છો. જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે તો તમારા મોબાઈલ નંબર કે ઈમેલને એક્ટિવ રાખો જેથી બેંકની તરફથી મળનારી સૂચના તમારા સુધી પહોંચી શકે.
તમારી બેંકની જે નવી સંસ્થામાં જોડાણ થયું છે તેની શાખા નજીકમાં હશે તો તમારી હોમ બ્રાંચને બંધ કરવામાં આવશે. એવામાં તમે જે બેંક સાથે વિલય થયો છે તેની નજીકની શાખા પર જઈને તમે તમારા બેંક ખાતાની ડિટેલ મેળવી શકો છો કે ચેક પણ કરી શકો છો.