પંજાબ નેશનલ બેંક, ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઑફ કોમર્સનો વિલય પ્રક્રિયા એપ્રિલ 2020 સુધી પૂરી થઇ જશે. નવી બેંકોને નવું નામ આપવામાં આવી શકે છે.
વિલય બાદ બનેલા નવા એકમમાં બેંક કર્મચારીઓની કોઇ છટણી થશે નહીં
યૂનાઇટેડ બેક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સના વિલય પ્રક્રિયા આવતા વર્ષે 1 એપ્રિલ સુધી પૂર્ણ થઇ જશે. આ ત્રણેય બેંકોના વિલય બાદ ભારતીય સ્ટેટ બેંક બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે, જેનો કુલ બિઝનેસ વોલ્યુમ 18 લાખ કરોડ રૂપિયાનો હશે.
નહીં થાય બેંક કર્મચારીઓની છટણી
યૂબીઆઇના સીઇઓ અને પ્રબંધ નિદેશકે કહ્યું કે વિલયની પ્રક્રિયામાં થોડોક સમય લાગશે અને નવી બેંક 1 એપ્રિલ 2020થી ઓપરેટ કરવાનું શરૂ કરી દેશે. UBI, PNB અને OBCએ કલકત્તામાં ગ્રાહકોની સાથે બેઠક કરી, જેમાં પીએનબી અને ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સના જનરલે મેનેજર સામેલ રહ્યા હતા. બેંકોએ કહ્યું કે વિલય બાદ બનેલા નવા એકમમાં બેંક કર્મચારીઓની કોઇ છટણી થશે નહીં. આ દરમિયાન એમને સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના લાવવાની વાતને પણ ફગાવી દીધી.
વિલયના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાળ
જણાવી દઇએ કે વિલયના સમાચાર બાદથી જ બેંક કર્મચારીઓ એનો વિરોધ કરી રહ્યા છે. બેંકોના કર્મચારીઓના વિલયના વિરોધમાં હડતાળ પર પણ જવાનો નિર્ણય કર્યો છે. બેંક કર્મચારીઓની 4 યૂનિયનોએ પબ્લિક સેક્ટરના 10 બેંકોના વિલયની જાહેરાતના વિરોધમાં 25 સપ્ટેમ્બરે અડધી રાતથી બે દિવસની હડતાળ જાહેરાત કરી હતી. સાથે જ બેંક યૂનિયનોએ બેંકોના વિલયની આ યોજના વિરુદ્ધ નવેમ્બરના બીજા સપ્તાહથી અનિશ્ચિતકાળ હડતાળ પર જવાની ધમકી આપી હતી.
આ બેંકોનો થશે વિલય
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરના 10 બેંકોનો વિલય કરીને 4 મોટી બેંક બનાવવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત પ્રમાણે, યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિયન્ટલ બેંક ઓફ ઇન્ડિયાનો વિલય પંજબ નેશનલ બેંકમાં થશે. આ વિલય બાદ દેશને સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક મળી શકશે. આ પ્રકારે સિન્ડિકેટ બેંકનો વિલય કેનેરા બેંકમાં હશે. ઇન્ડિયન બેંકનો વિલય અલ્હાબાદ બેંકમાં થશે. આંધ્રા બેક અને કોર્પોરેશન બેંકનો વિલય યૂનિયન બેંક ઑફ ઇન્ડિયામાં થશે.