ગ્રહોના રાજકુમાર ગણાતા આ દેવ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, 2 જુલાઇથી 17 જુલાઇ સુધી આ 3 રાશિના જાતકોને થશે લાભ
બુધ કરશે રાશિ પરિવર્તન
2 જુલાઇથી મિથુન રાશિમાં પ્રવેશ
3 રાશિના જાતકોને ફાયદો જ ફાયદો
ગ્રહોના રાજકુમાર બુધ 2 જુલાઇથી રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. બુધ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધને બુદ્ધિ, સંપન્નતા, વેપાર અને આર્થિક ઉન્નતિનો કારક માનવામાં આવે છે. 2 જુલાઇએ સવારે 9 વાગે ને 40 મિનિટ પર મિથુન રાશિમાં બુધ પ્રવેશ કરશે અને 17 જુલાઇ સુધી આ રાશિમાંજ રહેશે. બુધ રવિ યોગમાં ગોચર કરશે. ત્યારે આવો જાણીએ બુધના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને થશે ફાયદો
આ રાશિના જાતકોને થશે લાભ
સિંહઃ- સિંહ રાશિના લોકોના જીવનમાં આર્થિક પ્રગતિ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. આવકના સ્ત્રોત વધશે. નોકરી શોધનારાઓને નવી તકો મળી શકે છે. આવકમાં વધારો શક્ય છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે.
કન્યા- કન્યા રાશિના જાતકોને કાર્યસ્થળ પર તેમની મહેનતનું પૂરું ફળ મળશે. પ્રમોશનની શક્યતાઓ છે. બુધના સંક્રમણની અસરને કારણે તમને વેપારમાં આર્થિક લાભ મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ સાથે નવા સંબંધો સ્થાપિત થશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.
મકરઃ- મકર રાશિના લોકો માટે બુધનું સંક્રમણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્થાવર મિલકતના મામલામાં લાભ થઈ શકે છે. કાર્યશૈલીમાં સુધારો આવશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રગતિ શક્ય છે.