આ રાશિના જાતકોને 1 જુલાઇથી આ રાશિના જાતકોનો દુઃખના દિવસો થશે દૂર, બુધ અપાવશે વેપાર ધંધામાં પ્રગતિ
બુધનું ત્રીજીવાર થશે રાશિ પરિવર્તન
સિંહ રાશિમાં કરશે ગોચર
31 જુલાઇએ ગોચર કરતા આ રાશિને ફાયદો
ગ્રહોના રાજકુમાર ગણાતો બુધ જુલાઇ માસમાં 3 વખત રાશિ પરિવર્તન કરવાના છે તેમાંથી તેઓ બે વખત તો રાશિ બદલી ચૂક્યા છે ત્યારે હવે 31 જુલાઇના રોજ તેઓ સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં બુધનું સંક્રમણ તમામ 12 રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના જાતકોને બુધના સંક્રમણ દરમિયાન અપાર સફળતા મળી શકે છે, જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ બુધના પરિવર્તનથી કઈ રાશિ પર થશે અસર
કર્ક
આ રાશિના જાતકોને બુધના સિંહ રાશિમાં પ્રવેશનો લાભ મળશે. વેપારીઓ આ સમયગાળામાં સારો નફો કરી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ મોટા રોકાણથી બચો. નોકરી કરતા લોકોને નવી નોકરી મળવાની સંભાવના છે. વાણી પર સંયમ રાખવો નહીંતર કોઈની સાથે વિવાદની સ્થિતિ બની શકે છે.
કન્યા
આ રાશિના જાતકોને બુધનો સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી જ લાભ થઈ શકે છે. જો કે, આ સમય દરમિયાન તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો તમારું નાણાકીય બજેટ બગડી શકે છે. આ દરમિયાન, તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખો. યાત્રાના યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને બુધના ગોચર દરમિયાન પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. આ સમય દરમિયાન તમને તમારા કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. જો કે તમારા સ્વભાવમાં બદલાવ આવી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે.
મકર
મકર રાશિના જાતકોને બુધના ગોચર દરમિયાન કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જીવનસાથીની ભાવનાઓને અવગણશો નહીં, નહીં તો તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો.