વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહ શનિ દેવની રાશિમાં ગોચર કરી રહ્યાં છે. આ ગોચર ત્રણ રાશિના જાતકોને લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે.
બુધ ગ્રહ શનિ દેવની રાશિમાં કરી રહ્યાં છે ગોચર
આ ત્રણ રાશિના જાતકોને લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે
બુધ દેવ અને શનિ ગ્રહમાં મિત્રતાનો ભાવ
બુધ ગ્રહનો ગોચર આ ત્રણ રાશિના જાતકોને કરાવશે ફાયદો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ સમયે-સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેનો પ્રભાવ બધી રાશિના જાતકો પર જોવા મળે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધદેવ મકર રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. જેના પર શનિ દેવનુ આધિપત્ય છે. તો જ્યોતિષ મુજબ બુધ દેવ અને શનિ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. તેથી આ ગોચરનો પ્રભાવ બધી રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને આ ગોચર ફળદાયી સાબિત થઇ શકે છે.
ધન રાશિ
તમારા લોકો માટે બુધ ગ્રહનો ગોચર શુભ લાભદાયી સિદ્ધ થઇ શકે છે. કારણકે બુધ ગ્રહ તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર થવા જઇ રહ્યાં છે. જેને વાણી અને ધનનો ભાવ માનવામાં આવ્યો છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. આ સાથે વેપારમાં અચાનક કોઈ એવુ પેમેન્ટ મળી શકે છે, જે ઘણા સમયથી અટકેલુ હતુ. તો ઉધાર આપવામાં આવેલુ ધન પાછુ મળી શકે છે. આ સાથે જે લોકોની કારકિર્દી વાણીના ક્ષેત્ર સાથે જોડાયેલી છે, એવા લોકો માટે બુધનો ગોચર સારો સિદ્ધ થઇ શકે છે.
વૃષભ રાશિ
બુધ ગ્રહનુ રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે સારું સાબિત થઇ શકે છે. કારણકે બુધ ગ્રહ તમારી રાશિમાં નવમા ભાવમાં ગોચર કરવા જઇ રહ્યાં છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે ધર્મ અને આધ્યાત્મના વિષયોમાં તમારી રૂચિ વધશે. તો જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, તેમને સફળતા મળી શકે છે. જો તમે વ્યાપારી છો તો તમે વ્યાપારની દ્રષ્ટિએ યાત્રા કરી શકો છો. જે શુભ ફળદાયી સિદ્ધ થઇ શકે છે.
મીન રાશિ
તમારા લોકો માટે બુધ ગ્રહનો ગોચર સારો સિદ્ધ થઇ શકે છે. કારણકે બુધ ગ્રહ તમારી રાશિના 11મા ભાવમાં ગોચર કરવા જઇ રહ્યાં છે. જેને આવક અને લાભનુ સ્થાન માનવામાં આવે છે. તેથી આ સમયે તમારી આવકમાં સારો વધારો થવાના અણસાર છે. તો અત્યારે તમારા જૂના રોકાણથી લાભ થઇ શકે છે. પાર્ટનરશિપ મામલે પણ લાભ થશે. બિઝનેસમાં કોઈ નવી ડીલ થઇ શકે છે.