ભારતીય સમાજમાં સંબંધનું ખૂબ જ મહત્વ છે. દરેક સંબંધનું એક ખાસ મહત્વ હોય છે. જોકે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો કુંડળીમાં બગડેલા ગ્રહને ઠીક કરવા માટે સંબંધો જ કામ આવે છે. આથી આજે તમને જણાવીશું કે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહની ઠીક નથી તો તમારા પિતાની બહેન એટલે કે તમારો ફોઇ તમારા બુધને મબજૂત કરવામાં મદદ કરી શકે છે.
- પિતાની બહેન બુધ ગ્રહના ત્રીજા અને છઠ્ઠા ભાવનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષ વિદ્યામાં માનવામાં આવે છે કે જો ફોઈ સાથે સારા સંબંધ ન હોય તો તેની અસર કરિયર પર પડે છે. . બુધને સાચા રસ્તે લાવવા માટે ફોઈ સાથેના સારા સંબંધો રાખવા એ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે.
- બુધ જો ખરાબ હોય તો ફોઇ સાથેના સંબંધ ન હોય તો પણ કોઇ વિશેષ યોગ્યતા મેળવવા માટે 32 વર્ષનો સમય લાગે છે. જોકે ફોઇ સાથે સારા સંબંધો તમારી પ્રગતિના દ્વાર ખોલી શકે છે. બુધ સારો હોય તો મગજ સતેજ થાય છે અને વિપરિત પરિસ્થિતિઓમાં પણ નસીબ તમારી સાથે રહે છે.
- બુધ ગ્રહને બુદ્ઘિનો સ્વામી માનવામાં આવે છે. બુધ જો સાચા રસ્તો હોય તો નમ્રતા અને વાણી પર સયંમ રહે છે. વ્યક્તિ સમજદારીથી વાત કરે છે. જેથી સંસારિક જીવનમાં દરેક નિર્ણય સાચો કરવામાં મદદરૂપ થાય છે. જેમનો બુધ ગ્રહ મજબૂત હોય છે તેઓ ચપળ અને ચતુર હોય છે.
- પતિ-પત્નીની સેક્સ લાઇફ પણ નબળી થઇ શકે છે. અનેકવાર આ શારીરિક સમસ્યાઓ સેકસ્યુઅલ ડિફેક્ટ ઉત્પન્ન કરી શકે છે.
- કુંડળીમાં જો બુધ નબળો હોય તો સંતાન જન્મમાં પણ સમમસ્યા આવી શકે છે. જો સંતાન જન્મે તો તેને માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત જો બુધ નબળો હોય તો નિર્ણય લેવાની ક્ષમતા પર પણ અસર પડે છે. વાણીને કારણે બનતા કામ પણ બગડે છે. બુધ ખરાબ હોય તો ચામડી સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે.
- બુધને મજબૂત કરવા માટે ફોઇને સન્માન આપો. ફોઈને લાલ ગુલાબી અથવા લીલું વસ્ત્ર જરૂર આપો. આ સાથે જ ફોઈના પતિ સાથે પણ સારા સંબંધો રાખવા જોઇએ. ફોઈને લાડુ ખવડાવવા સારા માનવામાં આવે છે. જો તમારી ફોઈ ન હોય તો કિન્નરની સેવા કરો અને તેને ઉપરોક્ત વસ્તુઓ ભેટમાં આપવી જોઇએ.