પુરુષમાં પ્રજનના ક્ષમતા ઘટી રહી છે આ સબંધિત ઘણા રીસર્ચ થતા રહે છે અને હવે તેને ગંભીર રીતે લેવામાં આવી રહ્યું છે. ત્યારે ઘણા ડોક્ટર દાવો કરી રહ્યા છે કે વધુ પડતો મોબાઈલ વપરાશ પણ જોખમી છે.
અપૂરતી ઊંઘ સ્પર્મ કાઉન્ટ પર અસર કરે છે
પુરુષોમાં પ્રજનન ક્ષમતામાં ઘટાડો
પુરૂષોમાં ફર્ટિલિટીનું યોગદાન 20થી 40 ટકા
ફર્ટિલિટીને અસર કરતા પરિબળો
આજના જમાનામાં એક એવા વ્યક્તિની કલ્પના કરવી અશક્ય છે કે જે મોબાઈલ વાઈ ફાઈ અને કમ્પ્યુટર થી દુર રહેતો હોય. રાત્રે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાથી મનુષ્ય ઘણીવાર શારીરિક અને માનસિક ઉત્તેજિત બને છે. જેનાથી તેમની ઊંઘ અને સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. એટલું જ નહીં તેનાથી તેમના સ્પર્મ કાઉન્ટ પર પણ અસર પડી શકે છે.
મોબાઈલ તમારી ફર્ટિલિટી ઘટાડી શકે છે
નોઈડા સ્થિત નોવા સાઉથએન્ડ આઈવીએફ અને ફર્ટિલિટીના કન્સલ્ટન્ટ અને ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો.પારુલ ગુપ્તા ખન્નાના જણાવ્યા અનુસાર પુરુષોમાં પ્રજનન ક્ષમતામાં ઘટાડો અથવા પુરુષોમાં નપુંસકતાના મોટા પ્રમાણમાં કેસોને ધ્યાનમાં રાખીને દેશના ઘણા ડોકટરો એવું માનવા લાગ્યા છે કે મોટાભાગે ટેકનોલોજી પર આધારિત જીવનશૈલી આનું મુખ્ય કારણ છે. મોબાઇલ ફોન, લેપટોપ અને માઇક્રોવેવ પણ માનવ પ્રજનનક્ષમતા ઘટાડી શકે છે કે નપુંસકતાનું કારણ બની શકે છે તે જાણવા માટે આ અભ્યાસ લગભગ એક દાયકા પહેલા કરવામાં આવ્યો હતો. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના વધુ પડતા ઉપયોગથી શુક્રાણુઓની ગતિશીલતા પર નકારાત્મક અસર પડી શકે છે. જો શુક્રાણુઓની ગતિશીલતાની જો ધીમી હોય તો શુક્રાણુઓ યોગ્ય રીતે તરતા નથી, જેના કારણે પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે અથવા નપુંસકતાની સમસ્યા થાય છે.
ભારતમાં 23 ટકા પુરુષો નપુંસકતાથી પીડાય છે
એશિયન જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ એન્ડ ક્લિનિકલ રિસર્ચના એક અભ્યાસ અનુસાર, સામાન્ય વસ્તીમાં 15 થી 20 ટકા લોકોને પ્રજનન ક્ષમતાની ઉણપ અથવા વંધ્યત્વની સમસ્યા હોય છે. જ્યાં પુરૂષોમાં ફર્ટિલિટીનું યોગદાન 20થી 40 ટકા હોય છે. ભારતમાં 23 ટકા પુરુષો ઓછી પ્રજનનક્ષમતા કે નપુંસકતાના અભાવ સામે ઝઝૂમી રહ્યા છે.
નપુંસકતાનું કારણ છે આ ગેજેટ્સ
પુરુષોમાં પ્રજનનક્ષમતાના અભાવ અથવા નપુંસકતાના ઊંચા દરના કારણોને સમજવા અને તેમની સારવાર કરવી એ આ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. મોબાઇલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર, માઇક્રોવેવ ઓવન, ટીવી, વાઇ-ફાઇ, ફોન ટાવર્સ અને રડાર વગેરે જેવા નોન-આયનાઇઝિંગ રેડિયેશન પણ અંડકોષ અથવા વૃષણ પર અસર કરે છે. આ શુક્રાણુઓની સંખ્યા, તેમના કદ અને તેમની ગતિશીલતા પર અસર કરી શકે છે. આ ડીએનએ, હોર્મોન્સ અને એન્ટિ ઓક્સિડેટીવ એન્ઝાઇમ્સને નુકસાન પહોંચાડી શકે છે.
વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ જોખમી છે
ચાલતા વાહનમાં મોબાઇલનો ઉપયોગ કરવાથી મોટા પ્રમાણમાં રેડિયેશન પેદા થાય છે કારણ કે હેન્ડસેટ સમગ્ર મુસાફરી દરમિયાન સિગ્નલ અને ડેટાને સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો મુસાફરી દરમિયાન કિરણોત્સર્ગની અસર ઘટાડવા માટે મોબાઇલ ગેજેટ્સના ઉપયોગને મર્યાદિત કરવા પર પણ જોર કરી રહ્યા છે.
શુક્રાણુઓની ગુણવત્તા સુધારવા માટેના પગલાં
શુક્રાણુઓની સેહત જાળવવા માટે આદર્શ રીતે રાતની સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. શુક્રાણુઓની સારી ગુણવત્તા જાળવવા માટે રાત્રે સાતથી આઠ કલાક સૂવું જરૂરી છે. દરરોજ રાત્રે સૂવા માટે એક જ સમયે પથારીમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ . જો તમે રાત્રે અલગ અલગ સમયે સૂવા જાવ છો, તો તે તમારા શરીરની ઘડિયાળમાં (બાયોલોજીકલ કલોક) ખલેલ પહોંચાડી શકે છે અને પેટ અને પાચનની સમસ્યાઓનું કારણ બની શકે છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો
તમને મોબાઈલનો સંપૂર્ણ ઉપયોગ બંધ કરવાનું નથી કહી રહ્યા પરંતુ સ્વસ્થ શરીર માટે દરરોજ મોબાઇલનો ઉપયોગ ઓછો કરવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. મોબાઇલના રેડિએશનથી બચવા માટે આપણે આપણો મોબાઇલ ક્યાં રાખવો તે અંગે જાગૃત રહેવું પડશે. તે આપણા જીવન પર સકારાત્મક અસર કરી શકે છે. આ જ રીતે ઘણા લોકો પોતાના મોબાઇલને પોતાના ખિસ્સામાં રાખે છે, તેના સ્થાને બેગમાં મોબાઇલ ફોન મૂકવાથી મોબાઇલમાંથી રેડિયેશનની અસર ઘટાડવામાં મદદ મળી શકે છે. સુતી સમયે પણ મોબાઈલ બને એટલો દુર રાખવો જોઈએ અને રાતે સુવાના સમય કરતા એક કલાક પહેલા જ મોબાઈલ થી દુર થઇ જવું જોઈએ.